વચન વિધિ

કડવું – ૫

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી

જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી

અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો1 આપવા ॥

વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા2 ॥૨॥

ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ ॥

શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ ॥૩॥

વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ॥

મોકળ્યમાં3 મજા ખરી, ચોખી જાણો ચરાચરને4 ॥૪॥

પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં ॥

મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં ॥૫॥

એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય ॥

મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ॥૬॥

બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન ॥

લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન ॥૭॥

એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર ॥

નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર5 ॥૮॥

કડવું 🏠 home