વચન વિધિ

કડવું – ૪૫

વણ ચેતે અવસર વણસે1 કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી

ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી

ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું ॥

તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું ॥૨॥

વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ ॥

તે ખાઈને કેમ ખેમ2 રે’શે, જેથી નર અમર પામ્યા નાશ ॥૩॥

મારી કુંવર નરનાથનો,3 ટિલે4 બેસવા થાય છે તૈયાર ॥

તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો5 મારનાર ॥૪॥

તેમ ભક્ત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત ॥

પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત ॥૫॥

નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના6 ધામની ॥

ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની ॥૬॥

લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની ॥

સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ7 રેતની ॥૭॥

શરીર સુખ સારુ સુધો8 વરતે, કલ્યાણમાં વરતે કાસળે9

નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે ॥૮॥

કડવું 🏠 home