વચન વિધિ

કડવું – ૨૯

એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો આરોજી1

પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ નઠારોજી

નઠારો સંગ નરસાતણો, કહું છું કોઈ કરશો નહિ ॥

નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારાં સહિ ॥૨॥

ગાળે હિમાળે બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય ॥

શીશ કાપે આપે શૂળિયે, તોયે વિમુખ દુઃખસમ નોય ॥૩॥

એથી મરવું એકવાર પડે, પછી પામીએ એહનો પાર ॥

પણ જનમ મરણ જીવને, વિમુખથી વારમવાર ॥૪॥

ઢેઢ ઢેમર2 ઢોલવી મ્લેછ,3 પારાધી4 ગઉમાર5

એના સ્પર્શના પાપથી, વિમુખનું પાપ અપાર ॥૫॥

પાપી વિમુખના સ્પર્શનું, ક્યાં જઈ ધુએ કિલબીષ6

ટાળી ન ટળે કોઈની, જેમ ગળી મળીની મેષ7 ॥૬॥

પૂરણ પાપે સ્પર્શ એનો, પામે કોઈ પ્રાણી મળી ॥

અનંત જનમનું સુકૃત8 સર્વે, વિમુખ સ્પર્શે જાયે બળી ॥૭॥

એમ સરવે પ્રકારે સમજીને, તજવો તે સંગ વિમુખનો ॥

નિષ્કુળાનંદ કહે તો પામશો, સારો દિવસ સુખનો ॥૮॥

કડવું 🏠 home