સ્નેહગીતા

પદ ૯

રાગ મેવાડી (‘મુખડાની માયા લાગી રે મોહન તારા’ એના જેવો ઢાળ)

વાલીડો વિજોગી ગયા રે, હો ઉદ્ધવજી અમને ।

   વિસામો વિજોગી ગયા રે; હો ઉદ્ધવજી꠶ ટેક.

અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ ।

   હવે કેમ આવે હાથ, કુબજ્યાના નાથ થયા રે; હો ઉદ્ધવજી꠶ ॥૧॥

પિયુ સંગે પળેપળ, કોયે નવ પડી કળ1

   અંતરે આવે છે વળ, દેખો દૂર રહ્યા રે; હો ઉદ્ધવજી꠶ ॥૨॥

કો’ને અમે કરું કેમ, અલબેલે કર્યું એમ ।

   અંતર જળે છે જેમ, ડુંગર દાઝિયા રે; હો ઉદ્ધવજી꠶ ॥૩॥

નિષ્કુળાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ ।

   વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણી દયા રે; હો ઉદ્ધવજી꠶ ॥૪॥ પદ ॥૯॥

કડવું 🏠 home