સ્નેહગીતા

પદ ૭

રાગ સોરઠા (‘જનુની જીવો રે ગોપીચંદની’ એ ઢાળ)

ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત ।

જે રે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી꠶ ॥૧॥

સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર ।

ઉદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઉદ્ધવજી꠶ ॥૨॥

એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠે છે ઝાળ ।

વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલના દયાળ; ઉદ્ધવજી꠶ ॥૩॥

વલવલું છું અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ ।

નિષ્કુળાનંદનો નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી꠶ ॥૪॥ પદ ॥૭॥

કડવું 🏠 home