ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
319 79 1

૧. મણિરત્નમાલા: ૧૧.

320 79 2

૨. સ્વધર્મનું પણ ઉપલક્ષણ જાણવું.

321 79 3

૩. જેનામાં આત્મનિષ્ઠા આવે છે તેનામાં વૈરાગ્ય પણ સહજે જ આવી જાય છે અને જેને માહાત્મ્યજ્ઞાન સિદ્ધ થાય છે તેનામાં સ્વધર્મ અને પ્રીતિ પણ આવી જાય છે; માટે તમે કહેલાં વૈરાગ્યાદિ ત્રણ સાધનની અપેક્ષાએ આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન તે જ વિષયની નિવૃત્તિ થવામાં અતિ ઉત્કૃષ્ટ સાધન છે.

322 79 4

૪. “એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.

323 79 5

૫. આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન વગરનો સ્વધર્મ પણ શોભે નહિ એમ પણ જાણી લેવું.

324 80 6

૬. પ્રત્યક્ષ.

325 80 7

૭. પોતપોતાના હેતુની સિદ્ધિ ન થતાં.

326 80 8

૮. ભગવાનના સત્ય-શૌચાદિક જે ગુણ તેનાં દર્શન કરીને.

327 80 9

૯. વ્યવહારક્રિયામાં કુશળતા વગેરે લૌકિક.

328 80 10

૧૦. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક અલૌકિક.

329 80 11

૧૧. તેવા ગુણ તો વિમુખમાં પણ હોય છે, પણ ભગવાનમાં તેમને સ્નેહ હોતો જ નથી; માટે તે ગુણો ભગવત્સ્નેહમાં કારણ નથી.

330 80 12

૧૨. ભગવાન અને તેમના એકાંતિક સાધુઓએ નિષેધ કરેલાં હિંસા, ચોરી આદિક કર્મ ક્યારેય પણ દેહથી કરવાં નહિ અને.

331 80 13

૧૩. ભગવાનનાં દર્શન, શ્રવણ, ધ્યાન અને પૂજા આદિકમાં એકાગ્રપણું (બીજા સંકલ્પનો ત્યાગ કરવાથી અવ્યાકુળપણું) તે મનનો ગુણ કહ્યો છે તેમાં.

332 80 14

૧૪. એવી રીતે શ્રવણ, પૂજન અને ધ્યાનાદિકમાં પણ મનનું એકાગ્રપણું કરવું; કેમ કે મનની એકાગ્રતા વિના શ્રવણ, પૂજન, ધ્યાનાદિક વિધિથી કર્યું હોય પણ શાસ્ત્રોક્ત ફળ આપનારું થતું નથી.

333 80 15

૧૫. વચન, દેહ અને મનના ગુણે કરીને.

334 81 16

૧૬. છ ઘડી દિવસ બાકી હતો ત્યારે.

335 81 17

૧૭. આ અર્થ ભાગવત (૩/૨/૮)માં “દુર્ભગો બત લોકોઽયં યદવો નિતરામપિ । યે સંવસન્તો ન વિદુર્હરિં મીના ઇવોડુપમ્ ॥” આ શ્લોકથી કહ્યો છે.

336 81 18

૧૮. ભાગવત: ૧૧/૩૦/૧.

337 81 19

૧૯. આ અર્થ “આત્મા વા અરે દૃષ્ટવ્યઃ શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્યઃ ।” (બૃહદારણ્યકોપનિષદ: ૨/૪/૫ તથા ૪/૫/૬) આ શ્રુતિમાં કહ્યો છે. દર્શન શબ્દથી સાક્ષાત્કાર કહ્યો છે.

338 82 20

૨૦. આ યોગાનંદ મુનિનો સંશય છે.

339 82 21

૨૧. તેની તો ભગવાન રક્ષા કરે છે.

340 82 22

૨૨. જુઓ સંદર્ભ: વચનામૃત સા. ૧, ટીપણી-૪: [“એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.]

341 83 23

૨૩. બંધન; જીવ તથા ઈશ્વરમાં રહેલ અજ્ઞાનજન્ય મલિનતા.

342 83 24

૨૪. ભાગવત: ૧૦/૨૯/૩૬. થોડાક શબ્દભેદ સાથે આ ભાવનાં ગોપીઓનાં વચનો આ સંદર્ભ ક્રમાંકમાં પ્રાપ્ત થાય છે.

343 84 25

૨૫. અહીં જણાવેલ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ ક્રમશઃ સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના કાર્યરૂપ છે. જ્યારે તે ત્રણેય ગુણો એક એક અવસ્થામાં વર્તતા હોય, ત્યારે જીવમાં તે એક જ અવસ્થા વર્તતી હોય છે. પરંતુ જ્યારે ગુણોનું પરસ્પર મિશ્રણ થતાં, અવસ્થાઓ પણ એકબીજાની અંદર મિશ્રણ પામે છે; તેવું કહેવાનો અહીં આશય છે. તેનો પ્રારંભ જાગ્રત અવસ્થાના વર્ણનથી કરે છે.

344 84 26

૨૬. સત્ત્વગુણના કાર્યરૂપ.

345 84 27

૨૭. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહના અભિમાનથી જીવનાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણ નામ પડ્યાં છે; તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે; તે જણાવવા અહીં વિશ્વાભિમાની શબ્દ વાપરે છે.

346 84 28

૨૮. રજોગુણપ્રધાન.

347 84 29

૨૯. તમોગુણપ્રધાન.

348 84 30

૩૦. રજોગુણના કાર્યરૂપ.

349 84 31

૩૧. વિનાશી અને અસ્થિર એવા શબ્દાદિ વિષયોનો મનમાં ભોગ.

350 84 32

૩૨. સત્ત્વગુણપ્રધાન.

351 84 33

૩૩. પ્રિય, અપ્રિય તેવા વિવેકે રહિત.

352 84 34

૩૪. તમોગુણપ્રધાન.

353 84 35

૩૫. તમોગુણના કાર્યરૂપ.

354 84 36

૩૬. જીવનું વિષયોને જાણવાપણું.

355 84 37

૩૭. જીવનું અહંવૃત્તિથી વિષયો માટે કર્મનું કરવાપણું.

356 84 38

૩૮. સગુણબ્રહ્મરૂપ પ્રધાનપુરુષ.

357 84 39

૩૯. કર્મનો કર્તા જે જીવ તેવી વૃત્તિનું.

358 84 40

૪૦. રજોગુણપ્રધાન.

359 84 41

૪૧. પ્રથમ સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સગુણબ્રહ્મ સંબંધી આનંદમાં.

360 84 42

૪૨. સત્ત્વગુણપ્રધાન.

361 84 43

૪૩. ત્રણ અવસ્થાથી પર.

362 84 44

૪૪. માંડુક્યોપનિષદ: ૧૨ વગેરે.

363 84 45

૪૫. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૩-૨૩ વગેરે.

364 84 46

૪૬. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૨૩ વગેરે.

365 84 47

૪૭. કેનોપનિષદ: ૧/૪-૮ વગેરે.

366 84 48

૪૮. શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૭ વગેરે.

367 84 49

૪૯. અહીં અંતર્યામી, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દોથી ત્રણ અવસ્થાથી પર ચતુર્થ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેમાં ચતુર્થ અર્થાત્ તુર્યાવસ્થાના અધિષ્ઠાતા તરીકે અલગ અલગ ઉપનિષદોમાં જે સ્વરૂપનું જે નામથી વર્ણન કર્યું છે તે શ્રીજીમહારાજ જણાવે છે પરંતુ બ્રહ્મ તથા પરબ્રહ્મને એક તત્ત્વ તરીકે જણાવતા નથી.

368 84 50

૫૦. તે જીવના અને વૈરાજના દેહમાં રહી છે.

369 84 51

૫૧. ભાગવત: ૧૧/૧૨/૧૭.

370 84 52

૫૨. “સહસ્રદળ કમળના નિવાસરૂપ વૈરાજપુરુષના મસ્તકમાં આવેલ બ્રહ્મરંધ્રમાં” - એવો વાક્યાર્થ સમજવો.

371 84 53

૫૩. અક્ષરબ્રહ્મ દ્વારા પ્રકટ કરેલો.

372 84 54

૫૪. જેને વ્યાકરણ દર્શનમાં ‘સ્ફોટ’ કહે છે.

373 84 55

૫૫. હૃદય પર્યંત.

374 84 56

૫૬. અર્ધમાત્રાના કારણરૂપ.

375 84 57

૫૭. નાભિ આદિક ચાર સ્થાનમાં પરા આદિક ચાર વાણીમાંથી અનુક્રમે અર્ધમાત્રા, મકાર, ઉકાર અને અકાર આટલા વર્ણ ઉત્પન્ન થાય છે.

376 84 58

૫૮. નારદપંચરાત્ર, સંકર્ષણસંહિતા: ૨/૧/૪૮.

377 84 59

૫૯. જીવનાં પણ નાભિ, હૃદય, કંઠ અને મુખમાં ભગવાનની ઇચ્છાથી જ ચાર પ્રકારની વાણી ઉદ્‎ભવે છે. તેમાં શરીરની અંદરના ત્રણ પ્રકારના વાણીના ભેદ તો જ્ઞાનીઓને પણ દુર્બોધ છે. મનુષ્ય તો કેવળ વૈખરી નામના ચોથા ભેદને જ જાણે છે. જીવની વૈખરી વાણીમાં જ વાણીના ચાર ભેદ મેં નિશ્ચય કરેલા છે તે સ્પષ્ટપણે કહું છું.

378 85 60

૬૦. સંધ્યા આરતી પછી.

379 85 61

૬૧. “નૈમિશેઽનિમિષક્ષેત્રે ।” (ભાગવત: ૧/૧/૪). આ શ્લોકની શ્રીધરી ટીકામાં ‘નૈમિષારણ્ય’ શબ્દનો અર્થ કરવામાં વાયુપુરાણ (૨/૭)ની આખ્યાયિકા લખી છે તેમાં.

380 85 62

૬૨. શબ્દ વગેરે વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિરામ પામી જાય.

381 85 63

૬૩. જેમ ચક્રની ધારા કુંઠિત થાય ત્યારે તે ચક્ર ભ્રમણ કરી શકે નહિ, તેમ જ્યારે વિષયોમાંથી ઇન્દ્રિયો પાછી વળે ત્યારે મન વિષયોમાં ભ્રમણ કરે નહિ. જેમ બાણ ફળાએ રહિત થાય તો લક્ષને વીંધવા માટે સમર્થ થાય નહિ, તેમ જ મન પણ જ્યારે ઇન્દ્રિયોની સહાયતાએ રહિત થાય ત્યારે વિષય ગ્રહણ કરવા સમર્થ થાય નહિ; આવી સ્થિતિ બ્રહ્મસ્વરૂપ સંતના યોગે કરીને પ્રાપ્ત થાય છે, આટલો તાત્પર્યાર્થ છે.

382 87 64

૬૪. જેમ બહાર યુગ પ્રવર્તે છે તેમ.

383 87 65

૬૫. પુરુષના હૃદયમાં રહેલા સત્ત્વાદિક.

384 87 66

૬૬. જ્યારે સત્ત્વગુણના કાર્યરૂપ જ્ઞાન-તપ વગેરેમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં સત્યયુગ પ્રવર્ત્યો છે તેમ જાણવું. રજોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં ત્રેતાયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. જ્યારે રજોગુણ અને તમોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં અને લોભાદિકમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં દ્વાપરયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તમોગુણના કાર્યરૂપ અસત્ય, હિંસા, નિદ્રા આદિકમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય, ત્યારે મારા હૃદયમાં કળિયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તે ભાગવત (૧૨/૩/૨૬-૩૦)માં “સત્ત્વં રજસ્તમ ઇતિ” આ શ્લોકને આરંભીને “યદા માયાનૃતં તન્દ્રા” ઇત્યાદિક પાંચ શ્લોકથી નિરૂપણ કર્યું છે. આટલો તાત્પર્ય છે.

385 87 67

૬૭. અને કેવા ગુણવાળાએ કેવી ભક્તિ કરવાની હોય તે પણ કહો?

386 87 68

૬૮. ભાગવત: ૬/૧-૨.

387 87 69

૬૯. પરંતુ મંદિર, મઠ અથવા સંપ્રદાય વગેરેને ‘સ્થાન’ શબ્દથી ન જાણવા, એટલું મહારાજનું તાત્પર્ય છે.

388 88 70

૭૦. અંતર્દૃષ્ટિવાળાની અપેક્ષાએ બાહ્યદૃષ્ટિ ઓછી લાભદાયક છે તેવો ‘મિથ્યા’ શબ્દનો અર્થ જાણવો.

389 88 71

૭૧. વધારે ઉપયોગી છે.

390 88 72

૭૨. અંતર્દૃષ્ટિથી પોતાની સમીપે ભગવાનનાં ધામ જોવાનો પ્રકાર કહે છે.

391 88 73

૭૩. જ્યાં પ્રગટ ભગવાન વિરાજમાન છે ત્યાં જ તેમનું અક્ષરધામ અને મુક્તો છે.

392 89 74

૭૪. ડાંગર.

393 89 75

૭૫. મુંડકોપનિષદ: ૩/૧/૩.

394 89 76

૭૬. જુઓ વચનામૃત સા. ૧, ટીપણી-૪: [“એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.]

395 89 77

૭૭. ગીતા: ૬/૪૫.

396 90 78

૭૮. અહીં તે ત્રણે ગુણ અંતર્ગત આત્મનિષ્ઠાથી વૈરાગ્ય (વચનામૃત ગઢડા પ્રથમ ૭૩) અને નિશ્ચયથી ભક્તિ (વચનામૃત ગઢડા મધ્ય ૧૦) એ બે પણ જાણી લેવા. અને તેથી જ એકાંતિક ધર્મ સંબંધી ગુણો અખંડ રહે છે એવું તાત્પર્ય છે. (વચનામૃત ગઢડા અંત્ય ૧૩)

397 90 79

૭૯. દેહ અને વિષયો દુઃખરૂપ છે, બંધનકર્તા છે, નાશવંત છે, એવો.

398 90 80

૮૦. આત્મા સદા સુખરૂપ છે, સર્વદોષે રહિત છે, અવિનાશી છે, એવો.

399 92 81

૮૧. “યદ્‌ગત્વા ન નિવર્તન્તે ।” (ગીતા: ૧૫/૬); “સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ।” (ગીતા: ૧૪/૨); “મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ।” (ગીતા: ૮/૧૬) ઇત્યાદિક વચનથી.

400 92 82

૮૨. ભાગવત: ૭/૧/૩૨.

401 92 83

૮૩. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩.

402 92 84

૮૪. ભાગવત: ૭/૧/૪૬.

403 92 85

૮૫. મહાભારત, ઉદ્યોગપર્વ: ૪૨/૪ શ્લોકમાં આ ભાવનાં વોક્યો છે.

404 92 86

૮૬. પ્રમાદ અને મોહની નિવૃત્તિ અનાયાસથી થતી હોય તો ભલે, અથવા તે બંને ભગવાનના ભક્તમાં રહીને પણ ભગવાનના મહિમાની આગળ અતિ રાંક એવા તે બંને શો અનર્થ કરી શકવાના છે? કાંઈ પણ નહિ. આટલો તાત્પર્યાર્થ છે.

405 92 87

૮૭. સંકલ્પાત્મક સંભોગ.

406 93 88

૮૮. “ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિનાઽભવત્ ।” આ વચનથી ભગવાનમાં ગોપીઓનો પ્રેમ વર્ણવ્યો છે. (ભાગવત: ૧૦/૧૯/૧૬).

407 93 89

૮૯. ભાગવત: ૧૦/૪૭/૨૭-૨૮.

408 93 90

૯૦. ભાગવત: ૧૦/૨૦-૩૩. આ અધ્યાયોમાં આ ત્રણેય ભાવનાં વચનો પ્રાપ્ત થાય છે.

409 94 91

૯૧. ભાગવત: ૧૦/૮૭/૬.

410 94 92

૯૨. ભાગવત: ૫/૧૯/૯.

411 95 93

૯૩. ઉપરનું વાક્ય વાંચતાં પ્રકૃતિપુરુષ અને અક્ષરમુક્તમાં અનળપક્ષી તથા ગરુડના દૃષ્ટાંતે સ્થિતિભેદ જણાવ્યો હોય તેમ લાગે છે. પરંતુ વચનામૃત ગ. પ્ર. ૧૨, વચ. ગ. મ. ૩૧માં પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષને અક્ષરમુક્ત જ કહ્યો છે. તેથી અહીં જણાતા વિરોધનું સમાધાન એ રીતે કરવું કે પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષ પ્રવૃત્તિ કરનાર છે અને અક્ષરમુક્ત નિવૃત્તિપરક છે. આટલો ભેદ કહી શકાય. બંનેની સ્થિતિસુખ વગેરે તો સમાન જ છે.

412 95 94

૯૪. અહીં મુક્તોનો ભેદ દર્શાવ્યા તે અક્ષરમુક્તોના નથી. અક્ષરધામમાં રહેલ તમામ મુક્તો બ્રહ્મસાધર્મ્ય પામીને સમાનપણે ભગવાનનો પરમ આનંદ માણે છે. પરંતુ ઉપાસનાના ભેદે કરી અન્ય ગોલોક, વૈકુંઠ વગેરે ધમોમાં ગયેલ મુક્તોના ભેદો છે. શ્રીજીમહારાજને જે અવતાર જેવા જાણ્યા હોય તે તે ધામમાં જનાર મુક્તોના ભેદ છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ