ટીપણી
પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં
Id | Vach | No | Footnote |
319 | 79 | 1 | ૧. મણિરત્નમાલા: ૧૧. |
320 | 79 | 2 | ૨. સ્વધર્મનું પણ ઉપલક્ષણ જાણવું. |
321 | 79 | 3 | ૩. જેનામાં આત્મનિષ્ઠા આવે છે તેનામાં વૈરાગ્ય પણ સહજે જ આવી જાય છે અને જેને માહાત્મ્યજ્ઞાન સિદ્ધ થાય છે તેનામાં સ્વધર્મ અને પ્રીતિ પણ આવી જાય છે; માટે તમે કહેલાં વૈરાગ્યાદિ ત્રણ સાધનની અપેક્ષાએ આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન તે જ વિષયની નિવૃત્તિ થવામાં અતિ ઉત્કૃષ્ટ સાધન છે. |
322 | 79 | 4 | ૪. “એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે. |
323 | 79 | 5 | ૫. આત્મનિષ્ઠા અને માહાત્મ્યજ્ઞાન વગરનો સ્વધર્મ પણ શોભે નહિ એમ પણ જાણી લેવું. |
324 | 80 | 6 | ૬. પ્રત્યક્ષ. |
325 | 80 | 7 | ૭. પોતપોતાના હેતુની સિદ્ધિ ન થતાં. |
326 | 80 | 8 | ૮. ભગવાનના સત્ય-શૌચાદિક જે ગુણ તેનાં દર્શન કરીને. |
327 | 80 | 9 | ૯. વ્યવહારક્રિયામાં કુશળતા વગેરે લૌકિક. |
328 | 80 | 10 | ૧૦. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક અલૌકિક. |
329 | 80 | 11 | ૧૧. તેવા ગુણ તો વિમુખમાં પણ હોય છે, પણ ભગવાનમાં તેમને સ્નેહ હોતો જ નથી; માટે તે ગુણો ભગવત્સ્નેહમાં કારણ નથી. |
330 | 80 | 12 | ૧૨. ભગવાન અને તેમના એકાંતિક સાધુઓએ નિષેધ કરેલાં હિંસા, ચોરી આદિક કર્મ ક્યારેય પણ દેહથી કરવાં નહિ અને. |
331 | 80 | 13 | ૧૩. ભગવાનનાં દર્શન, શ્રવણ, ધ્યાન અને પૂજા આદિકમાં એકાગ્રપણું (બીજા સંકલ્પનો ત્યાગ કરવાથી અવ્યાકુળપણું) તે મનનો ગુણ કહ્યો છે તેમાં. |
332 | 80 | 14 | ૧૪. એવી રીતે શ્રવણ, પૂજન અને ધ્યાનાદિકમાં પણ મનનું એકાગ્રપણું કરવું; કેમ કે મનની એકાગ્રતા વિના શ્રવણ, પૂજન, ધ્યાનાદિક વિધિથી કર્યું હોય પણ શાસ્ત્રોક્ત ફળ આપનારું થતું નથી. |
333 | 80 | 15 | ૧૫. વચન, દેહ અને મનના ગુણે કરીને. |
334 | 81 | 16 | ૧૬. છ ઘડી દિવસ બાકી હતો ત્યારે. |
335 | 81 | 17 | ૧૭. આ અર્થ ભાગવત (૩/૨/૮)માં “દુર્ભગો બત લોકોઽયં યદવો નિતરામપિ । યે સંવસન્તો ન વિદુર્હરિં મીના ઇવોડુપમ્ ॥” આ શ્લોકથી કહ્યો છે. |
336 | 81 | 18 | ૧૮. ભાગવત: ૧૧/૩૦/૧. |
337 | 81 | 19 | ૧૯. આ અર્થ “આત્મા વા અરે દૃષ્ટવ્યઃ શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્યઃ ।” (બૃહદારણ્યકોપનિષદ: ૨/૪/૫ તથા ૪/૫/૬) આ શ્રુતિમાં કહ્યો છે. દર્શન શબ્દથી સાક્ષાત્કાર કહ્યો છે. |
338 | 82 | 20 | ૨૦. આ યોગાનંદ મુનિનો સંશય છે. |
339 | 82 | 21 | ૨૧. તેની તો ભગવાન રક્ષા કરે છે. |
340 | 82 | 22 | ૨૨. જુઓ સંદર્ભ: વચનામૃત સા. ૧, ટીપણી-૪: [“એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.] |
341 | 83 | 23 | ૨૩. બંધન; જીવ તથા ઈશ્વરમાં રહેલ અજ્ઞાનજન્ય મલિનતા. |
342 | 83 | 24 | ૨૪. ભાગવત: ૧૦/૨૯/૩૬. થોડાક શબ્દભેદ સાથે આ ભાવનાં ગોપીઓનાં વચનો આ સંદર્ભ ક્રમાંકમાં પ્રાપ્ત થાય છે. |
343 | 84 | 25 | ૨૫. અહીં જણાવેલ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ ક્રમશઃ સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના કાર્યરૂપ છે. જ્યારે તે ત્રણેય ગુણો એક એક અવસ્થામાં વર્તતા હોય, ત્યારે જીવમાં તે એક જ અવસ્થા વર્તતી હોય છે. પરંતુ જ્યારે ગુણોનું પરસ્પર મિશ્રણ થતાં, અવસ્થાઓ પણ એકબીજાની અંદર મિશ્રણ પામે છે; તેવું કહેવાનો અહીં આશય છે. તેનો પ્રારંભ જાગ્રત અવસ્થાના વર્ણનથી કરે છે. |
344 | 84 | 26 | ૨૬. સત્ત્વગુણના કાર્યરૂપ. |
345 | 84 | 27 | ૨૭. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહના અભિમાનથી જીવનાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણ નામ પડ્યાં છે; તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે; તે જણાવવા અહીં વિશ્વાભિમાની શબ્દ વાપરે છે. |
346 | 84 | 28 | ૨૮. રજોગુણપ્રધાન. |
347 | 84 | 29 | ૨૯. તમોગુણપ્રધાન. |
348 | 84 | 30 | ૩૦. રજોગુણના કાર્યરૂપ. |
349 | 84 | 31 | ૩૧. વિનાશી અને અસ્થિર એવા શબ્દાદિ વિષયોનો મનમાં ભોગ. |
350 | 84 | 32 | ૩૨. સત્ત્વગુણપ્રધાન. |
351 | 84 | 33 | ૩૩. પ્રિય, અપ્રિય તેવા વિવેકે રહિત. |
352 | 84 | 34 | ૩૪. તમોગુણપ્રધાન. |
353 | 84 | 35 | ૩૫. તમોગુણના કાર્યરૂપ. |
354 | 84 | 36 | ૩૬. જીવનું વિષયોને જાણવાપણું. |
355 | 84 | 37 | ૩૭. જીવનું અહંવૃત્તિથી વિષયો માટે કર્મનું કરવાપણું. |
356 | 84 | 38 | ૩૮. સગુણબ્રહ્મરૂપ પ્રધાનપુરુષ. |
357 | 84 | 39 | ૩૯. કર્મનો કર્તા જે જીવ તેવી વૃત્તિનું. |
358 | 84 | 40 | ૪૦. રજોગુણપ્રધાન. |
359 | 84 | 41 | ૪૧. પ્રથમ સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સગુણબ્રહ્મ સંબંધી આનંદમાં. |
360 | 84 | 42 | ૪૨. સત્ત્વગુણપ્રધાન. |
361 | 84 | 43 | ૪૩. ત્રણ અવસ્થાથી પર. |
362 | 84 | 44 | ૪૪. માંડુક્યોપનિષદ: ૧૨ વગેરે. |
363 | 84 | 45 | ૪૫. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૩-૨૩ વગેરે. |
364 | 84 | 46 | ૪૬. બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૨૩ વગેરે. |
365 | 84 | 47 | ૪૭. કેનોપનિષદ: ૧/૪-૮ વગેરે. |
366 | 84 | 48 | ૪૮. શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૭ વગેરે. |
367 | 84 | 49 | ૪૯. અહીં અંતર્યામી, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે શબ્દોથી ત્રણ અવસ્થાથી પર ચતુર્થ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેમાં ચતુર્થ અર્થાત્ તુર્યાવસ્થાના અધિષ્ઠાતા તરીકે અલગ અલગ ઉપનિષદોમાં જે સ્વરૂપનું જે નામથી વર્ણન કર્યું છે તે શ્રીજીમહારાજ જણાવે છે પરંતુ બ્રહ્મ તથા પરબ્રહ્મને એક તત્ત્વ તરીકે જણાવતા નથી. |
368 | 84 | 50 | ૫૦. તે જીવના અને વૈરાજના દેહમાં રહી છે. |
369 | 84 | 51 | ૫૧. ભાગવત: ૧૧/૧૨/૧૭. |
370 | 84 | 52 | ૫૨. “સહસ્રદળ કમળના નિવાસરૂપ વૈરાજપુરુષના મસ્તકમાં આવેલ બ્રહ્મરંધ્રમાં” - એવો વાક્યાર્થ સમજવો. |
371 | 84 | 53 | ૫૩. અક્ષરબ્રહ્મ દ્વારા પ્રકટ કરેલો. |
372 | 84 | 54 | ૫૪. જેને વ્યાકરણ દર્શનમાં ‘સ્ફોટ’ કહે છે. |
373 | 84 | 55 | ૫૫. હૃદય પર્યંત. |
374 | 84 | 56 | ૫૬. અર્ધમાત્રાના કારણરૂપ. |
375 | 84 | 57 | ૫૭. નાભિ આદિક ચાર સ્થાનમાં પરા આદિક ચાર વાણીમાંથી અનુક્રમે અર્ધમાત્રા, મકાર, ઉકાર અને અકાર આટલા વર્ણ ઉત્પન્ન થાય છે. |
376 | 84 | 58 | ૫૮. નારદપંચરાત્ર, સંકર્ષણસંહિતા: ૨/૧/૪૮. |
377 | 84 | 59 | ૫૯. જીવનાં પણ નાભિ, હૃદય, કંઠ અને મુખમાં ભગવાનની ઇચ્છાથી જ ચાર પ્રકારની વાણી ઉદ્ભવે છે. તેમાં શરીરની અંદરના ત્રણ પ્રકારના વાણીના ભેદ તો જ્ઞાનીઓને પણ દુર્બોધ છે. મનુષ્ય તો કેવળ વૈખરી નામના ચોથા ભેદને જ જાણે છે. જીવની વૈખરી વાણીમાં જ વાણીના ચાર ભેદ મેં નિશ્ચય કરેલા છે તે સ્પષ્ટપણે કહું છું. |
378 | 85 | 60 | ૬૦. સંધ્યા આરતી પછી. |
379 | 85 | 61 | ૬૧. “નૈમિશેઽનિમિષક્ષેત્રે ।” (ભાગવત: ૧/૧/૪). આ શ્લોકની શ્રીધરી ટીકામાં ‘નૈમિષારણ્ય’ શબ્દનો અર્થ કરવામાં વાયુપુરાણ (૨/૭)ની આખ્યાયિકા લખી છે તેમાં. |
380 | 85 | 62 | ૬૨. શબ્દ વગેરે વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિરામ પામી જાય. |
381 | 85 | 63 | ૬૩. જેમ ચક્રની ધારા કુંઠિત થાય ત્યારે તે ચક્ર ભ્રમણ કરી શકે નહિ, તેમ જ્યારે વિષયોમાંથી ઇન્દ્રિયો પાછી વળે ત્યારે મન વિષયોમાં ભ્રમણ કરે નહિ. જેમ બાણ ફળાએ રહિત થાય તો લક્ષને વીંધવા માટે સમર્થ થાય નહિ, તેમ જ મન પણ જ્યારે ઇન્દ્રિયોની સહાયતાએ રહિત થાય ત્યારે વિષય ગ્રહણ કરવા સમર્થ થાય નહિ; આવી સ્થિતિ બ્રહ્મસ્વરૂપ સંતના યોગે કરીને પ્રાપ્ત થાય છે, આટલો તાત્પર્યાર્થ છે. |
382 | 87 | 64 | ૬૪. જેમ બહાર યુગ પ્રવર્તે છે તેમ. |
383 | 87 | 65 | ૬૫. પુરુષના હૃદયમાં રહેલા સત્ત્વાદિક. |
384 | 87 | 66 | ૬૬. જ્યારે સત્ત્વગુણના કાર્યરૂપ જ્ઞાન-તપ વગેરેમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં સત્યયુગ પ્રવર્ત્યો છે તેમ જાણવું. રજોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં ત્રેતાયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. જ્યારે રજોગુણ અને તમોગુણના કાર્યરૂપ ધર્મ તથા ઇચ્છાપૂર્તિ થાય તેવાં કાર્યોમાં અને લોભાદિકમાં રુચિ ઉત્પન્ન થાય ત્યારે મારા હૃદયમાં દ્વાપરયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તમોગુણના કાર્યરૂપ અસત્ય, હિંસા, નિદ્રા આદિકમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય, ત્યારે મારા હૃદયમાં કળિયુગ પ્રવર્ત્યો છે એમ જાણવું. તે ભાગવત (૧૨/૩/૨૬-૩૦)માં “સત્ત્વં રજસ્તમ ઇતિ” આ શ્લોકને આરંભીને “યદા માયાનૃતં તન્દ્રા” ઇત્યાદિક પાંચ શ્લોકથી નિરૂપણ કર્યું છે. આટલો તાત્પર્ય છે. |
385 | 87 | 67 | ૬૭. અને કેવા ગુણવાળાએ કેવી ભક્તિ કરવાની હોય તે પણ કહો? |
386 | 87 | 68 | ૬૮. ભાગવત: ૬/૧-૨. |
387 | 87 | 69 | ૬૯. પરંતુ મંદિર, મઠ અથવા સંપ્રદાય વગેરેને ‘સ્થાન’ શબ્દથી ન જાણવા, એટલું મહારાજનું તાત્પર્ય છે. |
388 | 88 | 70 | ૭૦. અંતર્દૃષ્ટિવાળાની અપેક્ષાએ બાહ્યદૃષ્ટિ ઓછી લાભદાયક છે તેવો ‘મિથ્યા’ શબ્દનો અર્થ જાણવો. |
389 | 88 | 71 | ૭૧. વધારે ઉપયોગી છે. |
390 | 88 | 72 | ૭૨. અંતર્દૃષ્ટિથી પોતાની સમીપે ભગવાનનાં ધામ જોવાનો પ્રકાર કહે છે. |
391 | 88 | 73 | ૭૩. જ્યાં પ્રગટ ભગવાન વિરાજમાન છે ત્યાં જ તેમનું અક્ષરધામ અને મુક્તો છે. |
392 | 89 | 74 | ૭૪. ડાંગર. |
393 | 89 | 75 | ૭૫. મુંડકોપનિષદ: ૩/૧/૩. |
394 | 89 | 76 | ૭૬. જુઓ વચનામૃત સા. ૧, ટીપણી-૪: [“એતે વૈ નિરયાસ્તાત સ્થાનસ્ય પરમાત્મનઃ” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૧/૬) આ શ્લોકથી કહ્યું છે.] |
395 | 89 | 77 | ૭૭. ગીતા: ૬/૪૫. |
396 | 90 | 78 | ૭૮. અહીં તે ત્રણે ગુણ અંતર્ગત આત્મનિષ્ઠાથી વૈરાગ્ય (વચનામૃત ગઢડા પ્રથમ ૭૩) અને નિશ્ચયથી ભક્તિ (વચનામૃત ગઢડા મધ્ય ૧૦) એ બે પણ જાણી લેવા. અને તેથી જ એકાંતિક ધર્મ સંબંધી ગુણો અખંડ રહે છે એવું તાત્પર્ય છે. (વચનામૃત ગઢડા અંત્ય ૧૩) |
397 | 90 | 79 | ૭૯. દેહ અને વિષયો દુઃખરૂપ છે, બંધનકર્તા છે, નાશવંત છે, એવો. |
398 | 90 | 80 | ૮૦. આત્મા સદા સુખરૂપ છે, સર્વદોષે રહિત છે, અવિનાશી છે, એવો. |
399 | 92 | 81 | ૮૧. “યદ્ગત્વા ન નિવર્તન્તે ।” (ગીતા: ૧૫/૬); “સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ ।” (ગીતા: ૧૪/૨); “મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે ।” (ગીતા: ૮/૧૬) ઇત્યાદિક વચનથી. |
400 | 92 | 82 | ૮૨. ભાગવત: ૭/૧/૩૨. |
401 | 92 | 83 | ૮૩. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩. |
402 | 92 | 84 | ૮૪. ભાગવત: ૭/૧/૪૬. |
403 | 92 | 85 | ૮૫. મહાભારત, ઉદ્યોગપર્વ: ૪૨/૪ શ્લોકમાં આ ભાવનાં વોક્યો છે. |
404 | 92 | 86 | ૮૬. પ્રમાદ અને મોહની નિવૃત્તિ અનાયાસથી થતી હોય તો ભલે, અથવા તે બંને ભગવાનના ભક્તમાં રહીને પણ ભગવાનના મહિમાની આગળ અતિ રાંક એવા તે બંને શો અનર્થ કરી શકવાના છે? કાંઈ પણ નહિ. આટલો તાત્પર્યાર્થ છે. |
405 | 92 | 87 | ૮૭. સંકલ્પાત્મક સંભોગ. |
406 | 93 | 88 | ૮૮. “ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિનાઽભવત્ ।” આ વચનથી ભગવાનમાં ગોપીઓનો પ્રેમ વર્ણવ્યો છે. (ભાગવત: ૧૦/૧૯/૧૬). |
407 | 93 | 89 | ૮૯. ભાગવત: ૧૦/૪૭/૨૭-૨૮. |
408 | 93 | 90 | ૯૦. ભાગવત: ૧૦/૨૦-૩૩. આ અધ્યાયોમાં આ ત્રણેય ભાવનાં વચનો પ્રાપ્ત થાય છે. |
409 | 94 | 91 | ૯૧. ભાગવત: ૧૦/૮૭/૬. |
410 | 94 | 92 | ૯૨. ભાગવત: ૫/૧૯/૯. |
411 | 95 | 93 | ૯૩. ઉપરનું વાક્ય વાંચતાં પ્રકૃતિપુરુષ અને અક્ષરમુક્તમાં અનળપક્ષી તથા ગરુડના દૃષ્ટાંતે સ્થિતિભેદ જણાવ્યો હોય તેમ લાગે છે. પરંતુ વચનામૃત ગ. પ્ર. ૧૨, વચ. ગ. મ. ૩૧માં પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષને અક્ષરમુક્ત જ કહ્યો છે. તેથી અહીં જણાતા વિરોધનું સમાધાન એ રીતે કરવું કે પ્રકૃતિ સાથે જોડાનાર પુરુષ પ્રવૃત્તિ કરનાર છે અને અક્ષરમુક્ત નિવૃત્તિપરક છે. આટલો ભેદ કહી શકાય. બંનેની સ્થિતિસુખ વગેરે તો સમાન જ છે. |
412 | 95 | 94 | ૯૪. અહીં મુક્તોનો ભેદ દર્શાવ્યા તે અક્ષરમુક્તોના નથી. અક્ષરધામમાં રહેલ તમામ મુક્તો બ્રહ્મસાધર્મ્ય પામીને સમાનપણે ભગવાનનો પરમ આનંદ માણે છે. પરંતુ ઉપાસનાના ભેદે કરી અન્ય ગોલોક, વૈકુંઠ વગેરે ધમોમાં ગયેલ મુક્તોના ભેદો છે. શ્રીજીમહારાજને જે અવતાર જેવા જાણ્યા હોય તે તે ધામમાં જનાર મુક્તોના ભેદ છે. |