ટીપણી
પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં
Id | Vach | No | Footnote |
413 | 97 | 1 | ૧. સર્વ જ્ઞાનનું. |
414 | 97 | 2 | ૨. एककालावच्छिन्न; એક જ સમયે, એકસાથે. |
415 | 97 | 3 | ૩. અહીં જીવને જ્ઞાનશક્તિ વડે ઇન્દ્રિયો-અંતઃકરણ વગેરે સંપૂર્ણ શરીરમાં વ્યાપક કહ્યો છે પરંતુ વસ્તુતઃ તે અણુવત્સૂક્ષ્મ છે, પણ અદ્વૈતીની માફક આકાશ જેવો વ્યાપક નથી. |
416 | 97 | 4 | ૪. ભાગવત: ૫/૬/૭-૮. |
417 | 97 | 5 | ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ અને જીવ એ ત્રણેમાં ઉત્તરોત્તર જીવમાં નિશ્ચયની શ્રેષ્ઠતા અહીં જણાવેલ દૃષ્ટાંતો દ્વારા સ્વતઃ સિદ્ધ છે, જેમાં મનુષ્યભાવ-દિવ્યભાવ એક થઈ જાય છે. ભગવાનમાં શુભાશુભ ક્રિયાથી લઈને ગુણાતીત સ્થિતિ સુધીની તારતમ્યતા જણાય છતાં સંશય ન થાય તે ત્રણે પ્રકારના નિશ્ચયનું હાર્દ છે. |
418 | 97 | 6 | ૬. તામસ કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે. |
419 | 97 | 7 | ૭. રાજસ કર્મના ફળરૂપ સ્વપ્નભોગને ભોગવાવે છે. |
420 | 97 | 8 | ૮. સાત્ત્વિક કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે. |
421 | 97 | 9 | ૯. જાગ્રત-સ્વપ્નમાં દેહેન્દ્રિયાદિભાવે સહિતપણે. |
422 | 97 | 10 | ૧૦. સુષુપ્તિમાં દેહેન્દ્રિયાદિભાવે રહિતપણે. |
423 | 97 | 11 | ૧૧. પોતપોતાના કાર્ય માટે શક્તિમાન કર્યાં છે. |
424 | 97 | 12 | ૧૨. ભાગવત: ૧૦/૮૭/૨. |
425 | 97 | 13 | ૧૩. “સર્વે જનો મને જાણો અને જુઓ,” આવો ભગવાનનો સંકલ્પ હોવાથી માયિક દેહેન્દ્રિયાદિ ભાવવાળા પણ પ્રત્યક્ષ ભગવાનને જાણે અને જુએ જ; આટલો તાત્પર્યાર્થ છે. |
426 | 97 | 14 | ૧૪. અર્થ: મને સહિત વાણી જે પરમાત્માને નહિ પામીને પાછી વળે છે અર્થાત્ પરમાત્મા મન-વાણીને અગોચર છે. (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્લી: ૪) |
427 | 97 | 15 | ૧૫. સ્થિતિ કાળમાં. |
428 | 97 | 16 | ૧૬. સૂક્ષ્મતાને. |
429 | 97 | 17 | ૧૭. પરમેશ્વરની અપેક્ષાએ વાણી વગેરે ઇન્દ્રિયો અતિ સ્થૂળ છે, માટે તેના વિષયમાં ભગવાન આવે નહિ; એટલો તાત્પર્યાર્થ છે. |
430 | 97 | 18 | ૧૮. મુંડકોપનિષદ: ૩/૧/૩; ગીતા: ૪/૧૦. |
431 | 97 | 19 | ૧૯. આત્માને જ પરમાત્મા માનનાર, ભક્તિરહિત. |
432 | 97 | 20 | ૨૦. વચનામૃત ગ. પ્ર. ૬૪માં નિરૂપેલ બ્રહ્મસુષુપ્તિને. |
433 | 98 | 21 | ૨૧. જૈન દર્શનમાં જીવ, અજીવ વગેરે સાત તત્ત્વો સ્વીકારેલ છે. તેમાં અજીવ તત્ત્વની અંતર્ગત પુદ્ગલનો સમાવેશ થાય છે. આ પુદ્ગલ રૂપવાન અર્થાત્ મૂર્તિમાન છે. પુદ્ગલોની વર્ગણા જ કર્મરૂપે બની જીવને બંધન કરે છે. આમ, પુદ્ગલ મૂર્તિમાન હોવાથી કર્મને પણ મૂર્તિમાન કહ્યું છે. (તત્ત્વસમાસસૂત્ર: ૧/૪; ૫/૧,૪; ૮/૨). |
434 | 99 | 22 | ૨૨. શિવપુરાણ, રુદ્રસંહિતા, કુમારખંડ: ૨૦. |
435 | 100 | 23 | ૨૩. જીવના અંતર્યામી પરમાત્માનું. |
436 | 100 | 24 | ૨૪. જ્ઞાનશક્તિએ કરીને જીવ નખશિખા પર્યંત વ્યાપક એવી બુદ્ધિમાં પણ વ્યાપીને રહ્યો છે. બુદ્ધિ માયાનું કાર્ય હોવાથી જડ છે, તેમાં સ્વતઃ જાણપણું શક્ય નથી. જીવની જ્ઞાનશક્તિ વડે જ બુદ્ધિ કાર્ય કરવા સમર્થ થાય છે. તેથી બુદ્ધિમાં જીવ દ્વારા જ જાણપણું મળે છે. તેથી “જીવના જાણપણાને કહેવાથી બુદ્ધિનું જાણપણું કહેવાય છે.” તેવી જ રીતે પરમાત્મા પણ જીવમાં વ્યાપીને રહ્યા છે અને સાક્ષી પરમાત્માની કાર્યશક્તિથી જ જીવ જાણવું, જોવું, સાંભળવું વગેરે બૌદ્ધિક ક્રિયાઓ કરવા સમર્થ થાય છે. તેથી સાક્ષી જે પરમાત્મા તેમના જાણપણાને કહેવાથી જીવનું જાણપણું કહેવાયું તેવો અહીં આશય છે. |
437 | 101 | 25 | ૨૫. મુખ્ય. |
438 | 102 | 26 | ૨૬. ઈર્ષ્યા શબ્દ અને મત્સર શબ્દ ઘણે સ્થળે એક જ અર્થમાં વપરાય છે. જ્યાં બંને શબ્દો પૃથક્ હોય ત્યાં “પોતાને સમાન અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય” તે ઈર્ષ્યા અને “પોતાને સમાન કે અસમાન તમામનો ઉત્કર્ષ ન સહન કરી શકાય” તે મત્સર, એવો સહજ અર્થભેદ સમજવો. |
439 | 102 | 27 | ૨૭. ભાગવત: ૧/૧/૨. |
440 | 103 | 28 | ૨૮. અક્ષરધામ; વચનામૃત ગ. પ્ર. ૧૨માં જણાવ્યા પ્રમાણે અક્ષરધામ અતિશય તેજસ્વી હોવાથી અહીં ‘તેજ’ શબ્દથી જણાવ્યું છે. પરંતુ જ્યાં જ્યાં તેજને વિષે ભગવાનની મૂર્તિનું વર્ણન હોય ત્યાં સર્વત્ર તે તેજને અક્ષરધામ જ સમજવું. હરિવાક્યસુધાસિંધુ તથા સેતુમાલા ટીકામાં બધે જ તેજવાચક શબ્દોથી અક્ષરધામ જ સમજાવ્યું છે. |
441 | 103 | 29 | ૨૯. શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૧૧ તથા અન્ય શ્રુતિઓ. |
442 | 104 | 30 | ૩૦. ‘સગુણ’ અને ‘નિર્ગુણ’ આ બંને શબ્દો ‘ગુણે સહિત’ અને ‘ગુણે રહિત’ આ બંને અર્થોથી જુદા અર્થમાં શ્રીજીમહારાજ અહીં નિરૂપે છે. જેનો થોડો અંશ “અણોરણીયાન્ મહતો મહીયાન્” (કઠોપનિષદ: ૧/૨/૨૦)માં કહ્યો છે. |
443 | 104 | 31 | ૩૧. ધારક, નિયન્તા અને શેષી. |
444 | 104 | 32 | ૩૨. ભાગવત: ૧૦/૮૯. |
445 | 104 | 33 | ૩૩. ભાગવત: ૧૦/૮/૩૭-૩૮. |
446 | 104 | 34 | ૩૪. ગીતા: અધ્યાય ૧૧/૫-૩૦. |
447 | 104 | 35 | ૩૫. ભાગવત: ૮/૨૦. |
448 | 105 | 36 | ૩૬. ભાગવત: ૧૦/૪૭/૬૧. |
449 | 105 | 37 | ૩૭. ભાગવત: ૧૦/૧૫/૫-૮. |
450 | 105 | 38 | ૩૮. ભાગવત: ૧૦/૧૪/૩૦. |
451 | 106 | 39 | ૩૯. અહીં ‘પ્રકૃતિપુરુષ’ શબ્દમાં પ્રકૃતિ શબ્દથી નિમ્ન પ્રકૃતિ અર્થાત્ પ્રધાનપ્રકૃતિ સમજીને સમગ્ર શબ્દનો અર્થ પ્રધાનપુરુષ સમજવો. |
452 | 106 | 40 | ૪૦. અહીં ‘બ્રહ્મ’ શબ્દથી અક્ષરબ્રહ્માત્મક મુક્ત અથવા પ્રકૃતિપુરુષ સમજવા. વચનામૃત ગ. મ. ૩૧માં તેને બ્રહ્મ કહ્યા છે. |
453 | 106 | 41 | ૪૧. યદ્યપિ આત્યંતિક કલ્યાણના હેતુરૂપ પોતાનો સિદ્ધાંત કહ્યો છે છતાં પણ કલ્યાણને માટે તેથી પણ કોઈક સરળ ઉપાય કહેશે એવા અભિપ્રાયથી પ્રશ્ન પૂછે છે. |
454 | 106 | 42 | ૪૨. પૂર્વે કહેલ. |
455 | 107 | 43 | ૪૩. ભાગવત: ૧૦/૩૯/૧૯-૩૫. |
456 | 107 | 44 | ૪૪. ભાગવત: ૧૦/૮૨. |
942 | 97 | 45 | ૪૫. આ કથનનું તાત્પર્ય એ છે કે આંખથી ભગવાન કુરૂપ જણાય; તેમની વાણી મીઠી ન જણાય, બોલવામાં લૌકિક વિવેક ના જણાય કે ચતુરાઈ ન જણાય; દેહમાં દુર્ગંધનો અનુભવ થાય; શરીર બરછટ જણાય; રીતભાતમાં કોઈ વિશેષતા ન જણાય એ આદિક સ્થૂળ દેહના ભાવ દેખાય છતાં ભગવાનનો નિશ્ચય ન ડગે તો તે ઇન્દ્રિયોમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને શુભ-અશુભ આદિક દ્વંદ્વોથી પર સમજે છે. |
943 | 97 | 46 | ૪૬. આ કથનનું તાત્પર્ય એ છે કે ભગવાનમાં તમોગુણ, રજોગુણ કે સત્ત્વગુણના કાર્યરૂપ જુદી જુદી યોગ્ય-અયોગ્ય ક્રિયાઓ જણાય; જેમ કે, તમોગુણના કાર્યરૂપ આળસ, નિદ્રા, મોહ, ક્રોધ વગેરે; રજોગુણના કાર્યરૂપ કામ, સ્વાદ, સ્નેહ, લોભ, વગેરે; સત્ત્વગુણના કાર્યરૂપ ત્યાગ, વૈરાગ્ય, તપ-સંયમ વગેરે. આ તમામ ભિન્ન ભિન્ન ક્રિયાઓ ભગવાનમાં જુદા જુદા સમયે જણાય છતાં નિશ્ચય ના ડગે તો તે અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને ત્રણ ગુણ અને ત્રણ ગુણના કાર્યથી પર સમજે છે. |
944 | 97 | 47 | ૪૭. આ કથનનું તાત્પર્ય એ છે કે ઋષભદેવજી જેવી ક્રિયા ભગવાનમાં જણાય, જેમ કે, ગાંડપણ કરવું; દેહનું ભાન ન રહેવું વગેરે, તેમ છતાં તેમાં મનુષ્યભાવ ન આવે અને નિશ્ચય ડગે નહીં, તો તે જીવમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને તમામ પ્રકારના દૈહિક ભાવોથી પર સમજીને તેમના ગાંડપણનાં ગમે તેવાં ચરિત્રોને પણ દિવ્ય સમજે છે. |