ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
413 97 1

૧. સર્વ જ્ઞાનનું.

414 97 2

૨. एककालावच्छिन्न; એક જ સમયે, એકસાથે.

415 97 3

૩. અહીં જીવને જ્ઞાનશક્તિ વડે ઇન્દ્રિયો-અંતઃકરણ વગેરે સંપૂર્ણ શરીરમાં વ્યાપક કહ્યો છે પરંતુ વસ્તુતઃ તે અણુવત્સૂક્ષ્મ છે, પણ અદ્વૈતીની માફક આકાશ જેવો વ્યાપક નથી.

416 97 4

૪. ભાગવત: ૫/૬/૭-૮.

417 97 5

૫. ઇન્દ્રિયો-અંતઃકરણ અને જીવ એ ત્રણેમાં ઉત્તરોત્તર જીવમાં નિશ્ચયની શ્રેષ્ઠતા અહીં જણાવેલ દૃષ્ટાંતો દ્વારા સ્વતઃ સિદ્ધ છે, જેમાં મનુષ્યભાવ-દિવ્યભાવ એક થઈ જાય છે. ભગવાનમાં શુભાશુભ ક્રિયાથી લઈને ગુણાતીત સ્થિતિ સુધીની તારતમ્યતા જણાય છતાં સંશય ન થાય તે ત્રણે પ્રકારના નિશ્ચયનું હાર્દ છે.

418 97 6

૬. તામસ કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે.

419 97 7

૭. રાજસ કર્મના ફળરૂપ સ્વપ્નભોગને ભોગવાવે છે.

420 97 8

૮. સાત્ત્વિક કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે.

421 97 9

૯. જાગ્રત-સ્વપ્નમાં દેહેન્દ્રિયાદિભાવે સહિતપણે.

422 97 10

૧૦. સુષુપ્તિમાં દેહેન્દ્રિયાદિભાવે રહિતપણે.

423 97 11

૧૧. પોતપોતાના કાર્ય માટે શક્તિમાન કર્યાં છે.

424 97 12

૧૨. ભાગવત: ૧૦/૮૭/૨.

425 97 13

૧૩. “સર્વે જનો મને જાણો અને જુઓ,” આવો ભગવાનનો સંકલ્પ હોવાથી માયિક દેહેન્દ્રિયાદિ ભાવવાળા પણ પ્રત્યક્ષ ભગવાનને જાણે અને જુએ જ; આટલો તાત્પર્યાર્થ છે.

426 97 14

૧૪. અર્થ: મને સહિત વાણી જે પરમાત્માને નહિ પામીને પાછી વળે છે અર્થાત્ પરમાત્મા મન-વાણીને અગોચર છે. (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્લી: ૪)

427 97 15

૧૫. સ્થિતિ કાળમાં.

428 97 16

૧૬. સૂક્ષ્મતાને.

429 97 17

૧૭. પરમેશ્વરની અપેક્ષાએ વાણી વગેરે ઇન્દ્રિયો અતિ સ્થૂળ છે, માટે તેના વિષયમાં ભગવાન આવે નહિ; એટલો તાત્પર્યાર્થ છે.

430 97 18

૧૮. મુંડકોપનિષદ: ૩/૧/૩; ગીતા: ૪/૧૦.

431 97 19

૧૯. આત્માને જ પરમાત્મા માનનાર, ભક્તિરહિત.

432 97 20

૨૦. વચનામૃત ગ. પ્ર. ૬૪માં નિરૂપેલ બ્રહ્મસુષુપ્તિને.

433 98 21

૨૧. જૈન દર્શનમાં જીવ, અજીવ વગેરે સાત તત્ત્વો સ્વીકારેલ છે. તેમાં અજીવ તત્ત્વની અંતર્ગત પુદ્‎‍ગલનો સમાવેશ થાય છે. આ પુદ્‍ગલ રૂપવાન અર્થાત્ મૂર્તિમાન છે. પુદ્‎‍ગલોની વર્ગણા જ કર્મરૂપે બની જીવને બંધન કરે છે. આમ, પુદ્‍‎ગલ મૂર્તિમાન હોવાથી કર્મને પણ મૂર્તિમાન કહ્યું છે. (તત્ત્વસમાસસૂત્ર: ૧/૪; ૫/૧,૪; ૮/૨).

434 99 22

૨૨. શિવપુરાણ, રુદ્રસંહિતા, કુમારખંડ: ૨૦.

435 100 23

૨૩. જીવના અંતર્યામી પરમાત્માનું.

436 100 24

૨૪. જ્ઞાનશક્તિએ કરીને જીવ નખશિખા પર્યંત વ્યાપક એવી બુદ્ધિમાં પણ વ્યાપીને રહ્યો છે. બુદ્ધિ માયાનું કાર્ય હોવાથી જડ છે, તેમાં સ્વતઃ જાણપણું શક્ય નથી. જીવની જ્ઞાનશક્તિ વડે જ બુદ્ધિ કાર્ય કરવા સમર્થ થાય છે. તેથી બુદ્ધિમાં જીવ દ્વારા જ જાણપણું મળે છે. તેથી “જીવના જાણપણાને કહેવાથી બુદ્ધિનું જાણપણું કહેવાય છે.” તેવી જ રીતે પરમાત્મા પણ જીવમાં વ્યાપીને રહ્યા છે અને સાક્ષી પરમાત્માની કાર્યશક્તિથી જ જીવ જાણવું, જોવું, સાંભળવું વગેરે બૌદ્ધિક ક્રિયાઓ કરવા સમર્થ થાય છે. તેથી સાક્ષી જે પરમાત્મા તેમના જાણપણાને કહેવાથી જીવનું જાણપણું કહેવાયું તેવો અહીં આશય છે.

437 101 25

૨૫. મુખ્ય.

438 102 26

૨૬. ઈર્ષ્યા શબ્દ અને મત્સર શબ્દ ઘણે સ્થળે એક જ અર્થમાં વપરાય છે. જ્યાં બંને શબ્દો પૃથક્ હોય ત્યાં “પોતાને સમાન અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય” તે ઈર્ષ્યા અને “પોતાને સમાન કે અસમાન તમામનો ઉત્કર્ષ ન સહન કરી શકાય” તે મત્સર, એવો સહજ અર્થભેદ સમજવો.

439 102 27

૨૭. ભાગવત: ૧/૧/૨.

440 103 28

૨૮. અક્ષરધામ; વચનામૃત ગ. પ્ર. ૧૨માં જણાવ્યા પ્રમાણે અક્ષરધામ અતિશય તેજસ્વી હોવાથી અહીં ‘તેજ’ શબ્દથી જણાવ્યું છે. પરંતુ જ્યાં જ્યાં તેજને વિષે ભગવાનની મૂર્તિનું વર્ણન હોય ત્યાં સર્વત્ર તે તેજને અક્ષરધામ જ સમજવું. હરિવાક્યસુધાસિંધુ તથા સેતુમાલા ટીકામાં બધે જ તેજવાચક શબ્દોથી અક્ષરધામ જ સમજાવ્યું છે.

441 103 29

૨૯. શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૧૧ તથા અન્ય શ્રુતિઓ.

442 104 30

૩૦. ‘સગુણ’ અને ‘નિર્ગુણ’ આ બંને શબ્દો ‘ગુણે સહિત’ અને ‘ગુણે રહિત’ આ બંને અર્થોથી જુદા અર્થમાં શ્રીજીમહારાજ અહીં નિરૂપે છે. જેનો થોડો અંશ “અણોરણીયાન્ મહતો મહીયાન્” (કઠોપનિષદ: ૧/૨/૨૦)માં કહ્યો છે.

443 104 31

૩૧. ધારક, નિયન્તા અને શેષી.

444 104 32

૩૨. ભાગવત: ૧૦/૮૯.

445 104 33

૩૩. ભાગવત: ૧૦/૮/૩૭-૩૮.

446 104 34

૩૪. ગીતા: અધ્યાય ૧૧/૫-૩૦.

447 104 35

૩૫. ભાગવત: ૮/૨૦.

448 105 36

૩૬. ભાગવત: ૧૦/૪૭/૬૧.

449 105 37

૩૭. ભાગવત: ૧૦/૧૫/૫-૮.

450 105 38

૩૮. ભાગવત: ૧૦/૧૪/૩૦.

451 106 39

૩૯. અહીં ‘પ્રકૃતિપુરુષ’ શબ્દમાં પ્રકૃતિ શબ્દથી નિમ્ન પ્રકૃતિ અર્થાત્ પ્રધાનપ્રકૃતિ સમજીને સમગ્ર શબ્દનો અર્થ પ્રધાનપુરુષ સમજવો.

452 106 40

૪૦. અહીં ‘બ્રહ્મ’ શબ્દથી અક્ષરબ્રહ્માત્મક મુક્ત અથવા પ્રકૃતિપુરુષ સમજવા. વચનામૃત ગ. મ. ૩૧માં તેને બ્રહ્મ કહ્યા છે.

453 106 41

૪૧. યદ્યપિ આત્યંતિક કલ્યાણના હેતુરૂપ પોતાનો સિદ્ધાંત કહ્યો છે છતાં પણ કલ્યાણને માટે તેથી પણ કોઈક સરળ ઉપાય કહેશે એવા અભિપ્રાયથી પ્રશ્ન પૂછે છે.

454 106 42

૪૨. પૂર્વે કહેલ.

455 107 43

૪૩. ભાગવત: ૧૦/૩૯/૧૯-૩૫.

456 107 44

૪૪. ભાગવત: ૧૦/૮૨.

942 97 45

૪૫. આ કથનનું તાત્પર્ય એ છે કે આંખથી ભગવાન કુરૂપ જણાય; તેમની વાણી મીઠી ન જણાય, બોલવામાં લૌકિક વિવેક ના જણાય કે ચતુરાઈ ન જણાય; દેહમાં દુર્ગંધનો અનુભવ થાય; શરીર બરછટ જણાય; રીતભાતમાં કોઈ વિશેષતા ન જણાય એ આદિક સ્થૂળ દેહના ભાવ દેખાય છતાં ભગવાનનો નિશ્ચય ન ડગે તો તે ઇન્દ્રિયોમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને શુભ-અશુભ આદિક દ્વંદ્વોથી પર સમજે છે.

943 97 46

૪૬. આ કથનનું તાત્પર્ય એ છે કે ભગવાનમાં તમોગુણ, રજોગુણ કે સત્ત્વગુણના કાર્યરૂપ જુદી જુદી યોગ્ય-અયોગ્ય ક્રિયાઓ જણાય; જેમ કે, તમોગુણના કાર્યરૂપ આળસ, નિદ્રા, મોહ, ક્રોધ વગેરે; રજોગુણના કાર્યરૂપ કામ, સ્વાદ, સ્નેહ, લોભ, વગેરે; સત્ત્વગુણના કાર્યરૂપ ત્યાગ, વૈરાગ્ય, તપ-સંયમ વગેરે. આ તમામ ભિન્ન ભિન્ન ક્રિયાઓ ભગવાનમાં જુદા જુદા સમયે જણાય છતાં નિશ્ચય ના ડગે તો તે અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને ત્રણ ગુણ અને ત્રણ ગુણના કાર્યથી પર સમજે છે.

944 97 47

૪૭. આ કથનનું તાત્પર્ય એ છે કે ઋષભદેવજી જેવી ક્રિયા ભગવાનમાં જણાય, જેમ કે, ગાંડપણ કરવું; દેહનું ભાન ન રહેવું વગેરે, તેમ છતાં તેમાં મનુષ્યભાવ ન આવે અને નિશ્ચય ડગે નહીં, તો તે જીવમાં નિશ્ચય કહેવાય. આ સ્તરના નિશ્ચયમાં ભક્ત ભગવાનને તમામ પ્રકારના દૈહિક ભાવોથી પર સમજીને તેમના ગાંડપણનાં ગમે તેવાં ચરિત્રોને પણ દિવ્ય સમજે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ