સારસિદ્ધિ

કડવું - ૨૨

રાગ: ધન્યાશ્રી

જરૂર હરિ રીઝવવા માટજી, ભક્તિ કરવી તે શીશને સાટજી ।

તેહ વિના વાત તે ન બેસે ઘાટજી,1 સમજી વિચારી લેવી એ વાટજી2 ॥૧॥

રાગ: ઢાળ

સમજી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી ।

ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ॥૨॥

ભક્તિ કરવી ભગવાનની, સમા પર રહી સાવધાન ।

સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરે છે જ્યાન3 ॥૩॥

સમે સેવીને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ ।

તે સમો મનમાં સમજી, રે’વું હરિ હજુર કરભામ4 ॥૪॥

સમે સામું જોઈ રે’વું શ્યામને, જોવી કર નયણણી સાન5

સમા પર તતપર થઈ, કરવી ભક્તિ તે નિદાન6 ॥૫॥

એક પગ ભર ઊભાં આગળે, હાથ જોડીને રે’વું હજૂર ।

જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ॥૬॥

વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ ।

અન્ય ભરોંસો અળગો કરી, થઈ રે’વું હરિના વેચાણ ॥૭॥

ભક્ત તે જ જે ભક્તિ કરે, જોઈ મરજી જગદીશની ।

મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમજો શિષ્યની ॥૮॥

મોટે ભાગ્યે ભેટે7 ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની8

તેહ વિનાની જે ભગતિ, તે તો મત મમતના તાણની ॥૯॥

કરિયે તો કરિયે સમજી, પ્રગટ પ્રભુજીની ભગતિ ।

નિષ્કુળાનંદ કહે તે વિના, નથી નરને કોઈ પ્રાપતિ ॥૧૦॥

કડવું 🏠 home