વચનામૃત નિરૂપણ

ગઢડા અંત્ય ૧૬

તા. ૧૨/૩/૧૯૬૩, મુંબઈ. કપોળવાડીમાં યોગીજી મહારાજ કહે, “... પતિવ્રતાપણું હશે તો જ અક્ષરધામમાં તેડી જાશે. બધા ભગવાન આના કરેલા ભગવાન છે... આઘુંપાછું થતું હોય તો, અંત્ય ૧૬ અને મધ્ય ૫ વિચારવાં. સ્વરૂપનિષ્ઠા પછી સંતમાં હેત થશે. નહીં તો ફસકી જશે. થડ પાકું કરો – સ્વરૂપનિષ્ઠાનું. પછી બે આનાનો સોળ આની આનંદ આવે. બીજા કણેથું ખાય છે. આપણે ઘી-કેળાં થઈ ગયાં. મહારાજ પ્રવેશ કરીને સમજાવી દેશે. એક થડ પકડો. બે ભગવાન હશે તો તકરાર કરશે. તેમાં આપણે શું? તે કોઈ દી’ પૂછવાનું નહીં રહે. ગેડ બેઠી હોય, અંગ બંધાણું હોય, તો ગડભાંજ નીકળી જાય. વિશ્વાસે ગેડ બેસે... તમને હેત છે તો મનના ગોટા છોડી દો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ