વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૨

ગુણાતીતાનંદ સ્વામી કહે, “આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારે ચમત્કાર જણાવ્યા છે. ને પોતે જે નરનારાયણનું લખ્યું છે, તે તો જેમ કો’ક અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઈ વાર આવેલ નહીં ને એનો (નરનારાયણ દેવનો) ભરતખંડ કહેવાય, માટે એને ભોમિયા લીધા છે.”

[સ્વામીની વાતો: ૬/૫૪]

 

તા. ૧૪/૧/૧૯૫૭, મકરસંક્રાંતિ, રેણીગુંટા. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “મધ્ય ૨૨માં જીત કરવાનું લખ્યું. જીત કરવી એટલે મહારાજ અને સ્વામીની શુદ્ધ ઉપાસના સમજવી અને બીજાને સમજાવવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ