વચનામૃત નિરૂપણ

વરતાલ ૧૦

કથામાં વચનામૃત વરતાલ ૧૦નું નિરૂપણ ચાલુ હતું. પછી સ્વામીશ્રીએ વાત કરી, “શ્રીજીમહારાજના મળેલા કોઈ સાધુ અત્યારે દેખાતા નથી. નંદ ક્યાં છે? પણ તો અત્યારે કોનો આશ્રય કરવો? એમના સાધર્મ્યને પામેલા હોય એ મળેલા. અભિપ્રાયને જાણનારા, એકાત્મભાવને પામેલા. અભિપ્રાય એ પ્રવર્તાવે. એમનો આશ્રય કરવો. તેની આજ્ઞામાં રહેવું. આશ્રય એટલે શું? ‘હું તમારો.’

“મળેલા કદાપિ ન મળે તો શું કરવું? ઘેર બેસી રહેવું? એવા સંત વિચરતા તો હોય. તેમનો સાંધો ન પડે તો પ્રતિમા ધારવી, પૂજવી. એકાંતિક સંતનાં દર્શનથી તરત કલ્યાણ થઈ જાય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૩૯]

 

વડતાલનું ૧૦મું વચનામૃત વંચાવ્યું તેમાં આવ્યું: “ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી જીવનું કલ્યાણ થાય છે.” આમાં ‘મળેલા સાધુ’નો અર્થ કરતાં યોગીજી મહારાજે કહ્યું, “મહારાજે ગઢડા અંત્ય ૨૭મા વચનામૃતમાં કહ્યું છે: ‘શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતનાં વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.’ અહીં ‘સાક્ષાત્ સંબંધ’ એટલે ‘ભગવાનને મળેલા’ સંત. અર્થાત્ પરમ એકાંતિક, ગુણાતીત સંત.”

[યોગીવાણી: ૨૪/૨૫૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ