વચનામૃત નિરૂપણ

વરતાલ ૪

સં. ૧૯૫૨, મહુવા. સમાગમ માટે પધારેલા ચરોતરના હરિભક્તોને ભગતજીએ બહુ વાતો કરી. પછી ચતુરભાઈએ પૂછ્યું, “મહારાજ! એ તો મૂર્તિ અખંડ હૃદયમાં રહે તો દોષ નિવૃત્તિ પામે. માટે મૂર્તિ કેમ ઝાલવી?” ત્યારે ભગતજીએ કહ્યું, “વૃત્તિરૂપી દોરી વડે મૂર્તિ ધારો. એમ પ્રયાસ કરશો તો સર્વે વાતે સુખી થવાશે.” પછી વચનામૃત વરતાલ ૪થું વાંચીને કહ્યું, “મૂર્તિ તો ચિંતામણિ છે, તે સર્વે મનોરથ પૂરા કરશે, પણ સાધુતા હશે તો મૂર્તિ પકડાશે. જુઓને, યુધિષ્ઠિર રાજાની સાધુતા જોઈને જ ભગવાને તેમને મદદ કરી. માટે સાધુતા શીખવી અને એ માર્ગે ચાલવું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૨૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ