વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૬

તા. ૨/૨/૧૯૫૫, ગાના. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૪૬ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાનના એકાંતિક છે એ જ ભગવાનનો માર્ગ છે. તેનો અભાવ એ જ ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. એકાંતિક ધર્મ એટલે શું? સત્પુરુષનું પ્રગટપણું એ જ એકાંતિક ધર્મ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૩૯]

 

યોગીજી મહારાજ કહે, “મરણદોરીના વચનામૃતમાં મહારાજ કહે છે: ‘જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો એ એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો.’ એકાંતિક ધર્મમાંથી પડવું એ જ એકાંતિકને મરણ છે. ભગવાન ને ભગવાનના સંતનો અવગુણ લેવો એ પંચ મહાપાપથી પણ મોટું પાપ છે. માટે સેવા થાય તે કરવી, પણ અસેવા જે અવગુણ લેવો, તે ક્યારેય ન કરવું.”

[યોગીવાણી: ૭/૨૯]

 

ગઢડા મધ્ય ૪૬ વચનામૃત સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગમે તેટલા પૂજાતા હોય, ગાદી-તકિયે બેઠા હોય, સદ્‌ગુરુ હોય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવાનો અવગુણ હોય તો જીવતા છતાં મરેલા છે.”

[યોગીવાણી: ૨૪/૨૫૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ