વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૧૪

તા. ૧૦/૭/૧૯૬૧, મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. તેમાં જણાવ્યું, “... દાસના દાસ થાવું. ગઢડા પ્રથમ ૧૪ ને ગઢડા મધ્ય ૬૨, તેમાં દાસનાં લક્ષણ કહ્યાં છે, તે વાંચી વિચારવું. માટે સંતો તથા હરિભક્તો, મહારાજ તથા સ્વામીનું બળ રાખીને દાસત્વ-ભક્તિ સિદ્ધ કરવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૬]

 

યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષના સમાગમથી દેહાભિમાન ઘસાઈ જાય છે અને દાસત્વભક્તિ આવે છે. દાસત્વપણું એ ભગવાનનો ગુણ છે. દાસત્વભક્તિ આવે ત્યારે પૂરું થાય. ગઢડા પ્રથમનું ૧૪મું વિચારવું. ગઢડા મધ્ય ૭મું શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત. આવાં વચનામૃતો વાંચવાં, વિચારવાં અને સિદ્ધ કરવાનું તાન રાખવું, ત્યારે મોટા રાજી થાય.”

[યોગીવાણી: ૧૮/૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ