વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૩

જાન્યુઆરી, ૧૯૬૪. કથા પ્રસંગમાં ગ. પ્ર. ૨૩ વચનામૃતમાં વાત આવી કે મૂર્તિને અતિશય પ્રકાશમાન ભાળે. તે સમજાવતાં સ્વામીશ્રી કહે, “પ્રકાશમાન ભાળે એટલે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને વિશે અતિશય દિવ્યભાવ વર્તે.

“મહિમા શું? ચરણારવિંદ ધોવે એ કાંઈ મહિમા નથી. માથું આપી દીએ ઈ ખરો મહિમા.”

વચનામૃત વંચાવતા હતા તે પહેલાં માઇકમાં બોલ્યા, “સંતો-હરિભક્તો કથામાં આવી જાય, કથા ઊપડે છે!

“આખા સંપ્રદાયનું ધોરણ આ એક વચનામૃત ઉપર છે. સર્વે સાંભળો. વિચારીને બોલે છે મહારાજ, ‘વાત પચશે કે નહીં? શું થશે?’ મુદ્દાની વાતમાં વિચાર કરવો પડે.

“બ્રહ્મ હારે એકતા કરવાની છે. ત્રણ દેહથી સ્વરૂપ જુદું માનવું. વેદાંતી ‘જીવ એ બ્રહ્મ છે’ એમ માને. તેમાં ભાવના ક્યાં રહી? બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવું. કોઈ ‘સારા, ખોટા’ કહે, તોય. ‘હું ગુણાતીત છું.’ ‘દસ વધારે ગાળો કહો ને!’ એમ ધારવું... એક અનાદિ સહજાનંદ. ‘એક’ શબ્દ શું કામ મૂક્યો? ભગવાન એક જ છે...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ