ધીરજાખ્યાન

ગ્રંથ મહિમા

  ભગવાને તેમના પ્યારા ભક્તોને પોતાનું દિવ્ય મહાસુખ આપવાનો દૃઢ ઠરાવ કર્યો છે. પરંતુ તેમાં ભક્તની અમુક પ્રકારની કસરો અવરોધરૂપ બને છે. સાચા ભક્તને અશુભની જેમ જ શુભ રાગ પણ એટલા જ નડતરરૂપ છે.

  જેમ બજારુ ખાણી-પીણી માણસના તન તથા મનને બગાડે છે, તેમ જ ઘરે બનાવેલા ગળ્યા-ચીકણા પદાર્થો પણ જો વધુ પડતા લેવામાં આવે તો તે પણ રોગ તથા આળસ-પ્રમાદ કરાવનારા થાય છે. તેવી જ રીતે પ્રભુને પામવા ઇચ્છતા શુદ્ધ મુમુક્ષુને શુભ-અશુભ સર્વ ઇચ્છાઓનો સમૂળ ત્યાગ કરવો જરૂરી છે. તો જ તે ભગવાનનો અવિનાશી આનંદ કાયમ માટે માણી શકવાનો પાત્ર બને છે. ભક્તને આવો શુદ્ધ સોના જેવો પાત્ર બનાવવા માટે સ્વયં ભગવાન જ તેને કસોટીરૂપી અગ્નિમાં તાવે છે.

  હાલમાં આપણે સહુ કોઈને ભગવાનનો રાજીપો લેવો હોય તો પ્રભુની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું અનિવાર્ય છે. તે કસોટી વેળામાં પાસ થયેલા આપણે ધીરજ ન ગુમાવી બેસીએ તથા જેના જીવન સાંભળવાથી બળ મળે એવા ૨૧ જેટલા આદર્શ ભક્તોના આખ્યાનો આ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ ચોટદાર શૈલીમાં વર્ણવ્યાં છે.

  જ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે ત્યારે તેમાંથી પાર થવું ઘણું કઠણ હોય છે; તેવા સમયે ઘણા ભક્તો હિંમત હારી જાય છે ને પ્રભુપ્રાપ્તિનું કામ બગડી જાય છે; માટે એવા સમયે હિંમત ન હારવી ને ધીરજ રાખવી એવું આ ગ્રંથનું તાત્પર્ય છે.

  જેને ભક્તપણાના સર્વ સદ્‌ગુણોથી યુક્ત તથા ભગવાનના અતૂટ વિશ્વાસવાળા ભક્ત બનવું હોય તેના માટે આ ગ્રંથ અદ્‌ભુત બળ પૂરું પાડે છે. સંવત્ ૧૮૯૯માં ગઢપુર મુકામે રચાયેલા આ ગ્રંથમાં ૬૪ કડવાં, ૧૬ પદ અને કુલ ૭૧૭ ચરણ છે.

 

Update

The stories of Harishchandra, Rantidev, Mayurdhvaj, and Jaydev have been added in English.

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...