અવતાર ચિંતામણિ

ગ્રંથનો મહિમા

આપણા ઇષ્ટદેવ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અસંખ્ય અવતારો દ્વારા અનેક કાર્યો કર્યાં છે. તે અવતારકાર્ય અલગ-અલગ શાસ્ત્રોમાં આલેખાયાં છે. સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ આ ‘અવતારચિંતામણિ’ નામના ગ્રંથમાં કુલ ૩૦ અવતારો તથા એકત્રીશમા સર્વાવતારી શ્રીહરિના અવતરણની ટૂંકમાં લીલા વર્ણવી છે. આ ગ્રંથની કુલ ૩૩ ચોપાઈ છે.

આ ગ્રંથ વડે સર્વોપરી શ્રીહરિએ અવતારો દ્વારા વાપરેલી સામર્થીને જાણવાથી ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાનનો મહિમા વધે છે. તથા અવતારલીલાનું સ્મરણ થાય છે.

આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર ।

પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ ॥ (૩૨)

આ ગ્રંથનું તાત્પર્ય શ્રી સ્વામિનારાયણ ભગવાન અવતાર નહિ પણ સર્વનું કારણ અવતારી જ છે એટલું જણાય છે.

SELECTION 🏠 home ગ્રંથ મહિમા અવતાર ચિંતામણિ