॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૭: વજ્રની ખીલીનું

નિરૂપણ

તા. ૨૮/૯/૧૯૮૫ની ભાદરવી પૂનમે ગુણાતીત જન્મોત્સવની પ્રતીક ઉજવણી કરીને પ્રમુખસ્વામી મહારાજ તા. ૨૯/૯ની સવારે રાબેતા મુજબની સભામાં પધાર્યા ત્યારે બાલમુકુંદદાસ સ્વામી ગઢડા અંત્ય પ્રકરણના સાતમા વચનામૃત પર નિરૂપણની શરૂઆત કરવા જ જઈ રહેલા. પરંતુ સ્વામીશ્રીએ કહ્યું, “લાવો, હું સમજાવું...” એમ બોલતાં તેઓ એ ‘વચનામૃત’ની રસલહાણ કરાવવા લાગ્યા:

“આટલું જ સમજવાનું કે એક વખત ભગવાનના આશ્રિત થયા એટલે આપણને દુઃખ આપનારોય કોઈ નથી ને સુખ આપનારોય કોઈ નથી. આ તો ‘બાઈ બાઈ ચારણી...’ની જેમ બધે માંગતા ફરે. પછી ‘ઝાઝા ઘરનો પરોણો ભૂખે મરે’ એવું થાય. માટે આ જે મળ્યા છે એથી બીજે ક્યાંય ફાંફાં ન મારવાં. આ લોકમાં કદાચ દુઃખ આપે, પણ અંતે અક્ષરધામ આપવું છે. એમનો અભાવ ન આવવા દેવો, કારણ કે એ તો આપણી બેસવાની ડાળ છે. સુખ-શાંતિની ડાળ છે. એ ન ભાંગે એ જોવું. પછી મનમાં બીક ન રાખવી કે, ‘હું ભૂત થઈશ કે શું થઈશ?’ ભૂત હોય તેય આપણાથી ભાગે, તો પછી આપણે ક્યાંથી થવાના?”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૩૪૭]

On September 28, 1985, after celebrating Gunatitanand Swami’s birth, Pramukh Swami Maharaj arrived in the assembly when Balmukund Swami was starting to explain Vachanamrut Gadhada III-7. Swamishri said, “Let me explain.” And he started to explain, “This is all we need to understand: once we have accepted the refuge of God, no one else can give us misery, nor can anyone else give us happiness. If one goes elsewhere (other than God) for happiness, then that is like a wealthy person dying of hunger. Therefore, one should not turn to anyone else other than whom one has attained. In this world, God may give misery, but in the end, he will give us Akshardham. One should not find flaws in God, because he is the branch we are sitting on - he is the branch of happiness and peace. One should take care this branch is not cut. Then, one should not fear, such as: ‘What if I become a ghost?’ Actually, a ghost will run away from us, so how will be become a ghost?”

[Brahmaswarup Pramukh Swami Maharaj: 5/347]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase