॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૯: ભક્ત થાવાનું, અવિવેકનું

નિરૂપણ

તા. ૩૧/૧ની સાંજે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર પધાર્યા. અત્રે સંધ્યા આરતી બાદ વચનામૃત વરતાલ ૧૯ના આધારે સદ્‌બોધ વહાવતાં તેઓએ જણાવ્યું:

“ભગવાન ને સંત જે કરે છે તે બધું બરાબર જ છે – આમ સમજાય તો ઓળખાણ થઈ કહેવાય. સંત એટલે ગુણાતીત. તે મહારાજને અખંડ ધારી રહ્યા છે. રામરોટી માગે તેવા નથી. હજારોને રામરોટી ખવરાવે તેવા છે. ભગવાનને ધાર્યા એટલે ભગવાન જેટલું સામર્થ્ય. ભગવાન જેવું સંત કાર્ય કરી શકે છે – તેમ સમજાય તો ઓળખાણ પાકી થઈ કહેવાય. દુનિયા તેને માને કે ન માને તેણે કરીને તેમની મોટપ નથી. આજ્ઞા-ઉપાસના જેટલી દૃઢ તેટલી મોટપ. તેમનાં સુખ, સામર્થી સહિત ઓળખાણ તે તત્ત્વે સહિત ઓળખાણ. તેઓ અજ્ઞાન બતાવે પણ મહાન જ છે.

“સંતમાં અવગુણ આવ્યો તો ભગવાનમાં આવશે. માટે પોતાનું જોવું. આપણું ધાર્યું કરવું છે ત્યાં સુધી આપણી નિષ્ઠા પાકી થઈ જ નથી. જેટલું સમજણમાં ચૂંથાય છે તેટલું સત્સંગમાં સુખ આવતું નથી. પડળ ખસી જાય તો સુખ. શાસ્ત્રીજી મહારાજ ૮૬ વર્ષ સુધી ફર્યા. શું કામ? આપણું સારું થાય તે માટે. તેમનો દાખડો જોઈ આપણે તો ન્યોછાવર થઈ જવું જોઈએ. ‘કેમ કર્યું?’ એમ સંકલ્પ થાય તો વિમુખ. ભગવાન ને સંતની જેમાં ગૌણતા હોય તેમાં કાન ન દેવાય. પાજી-પળાવની છાયામાં દબાવું નહીં. જેને માન્યા છે તે રાજી થયા? આ ન થયું તો અંતરમાં શાંતિ ન થાય. ભગવાન ને સંતને સમજ્યા તે વિવેક.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૧૬]

On January 31, 1983, Pramukh Swami Maharaj arrived in Vidyanagar. After the evening ārti, Swamishri spoke based on Vachanamrut Vartal 19:

“Whatever God and the Sant does is appropriate. If one understands this, then that is called having recognized them. The Sant is Gunatit, who is the vessel of Maharaj. He is not one that begs for food, but rather one who feeds thousands. Because he beholds God, he has just as much powers as God. The Sant can accomplish what God can accomplish. If one understands this, then that is complete recognition. His greatness is not based on whether everyone in the worlds believes it or not. The extent of greatness is the extent to which one has strengthened āgna and upāsanā. Understanding them to be the source of happiness and peace is recognition. Even if they show ignorance, they are still great.

“If one find a fault in the Sant, one will also find a fault in God. Therefore, one should look at their own faults instead. If one wants to do according to their own mindset, then one has not developed faith. The extent to which one lack understanding is proportional to not being able to experience happiness in satsang.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/16]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase