॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું

નિરૂપણ

તા. ૧૫/૧/૧૯૬૭, મુંબઈ. કપોળવાડીમાં પૂજા બાદ યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૨ સમજાવતાં કહે, “આ વચનામૃતમાં મહારાજે ગુણાતીતને ઓળખાવ્યા. સત્પુરુષની ઓળખાણ પડે તે માટે લાંબી વાત કરવી પડે. મહારાજને બધા સદ્‌ગુરુ જ સમજતા! એક ગુણાતીત સદ્‌ગુરુ ન સમજે. હમણાં વાત કરે કે ‘સમુદ્રને કિનારે પાંચ પાંડવ આવ્યા છે. પાંચ હાથ લાંબા!’ તો સૌ દોડે. રાજકોટમાં નળ તૂટ્યો ને ખબર ન રહી તો કહે, ‘ગંગા ફૂટી!’ બધા દોડ્યા. જામનગરમાં મુસલમાન ક્ષય મટાડે છે તો બધા દોડ્યા! પણ અક્ષરધામના ગુણાતીત અહીં બેઠા છે તે આશ્ચર્ય નથી થાતું. બાપનો વંશ દીકરો, મહારાજનો વંશ સત્પુરુષ. એકલા મહારાજને સમજે તો શું વાંધો? ના, તેમના ભેગા સત્પુરુષને સમજાવવા પડે. અત્યારેય ગુણાતીત નથી સમજાતા. દિશમોડ છે તે ઉગમણું, આથમણું ક્યાંથી સૂઝે? સમીપમાં રહે ને મનુષ્યભાવ ન આવે તેવા થોડા.” આમ, મર્મસભર વાતો કરી.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૩૭૬]

January 15, 1967, Mumbai. After completing his morning pujā in Kapolvādi, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā III-2, “In this Vachanāmrut, Mahārāj has pointed everyone in the direction of Gunātit. One has to talk for a long time to help one recognize the Satpurush. Everyone understood Mahārāj to be a sadguru! Only Gunātit did not understand as such. If someone came and said, ‘All five Pāndavas have arrived at the seashore, as tall as five arms!’ Everyone would run. Once, a faucet burst in Rājkot and without investigating what happened, someone exclaimed, ‘Ganga erupted.’ (i.e. the water of Ganga erupted from the ground there). Everyone ran (to see it). Everyone ran to the Muslim in Jāmnagar who [claimed that] he could cure tuberculosis! However, no one is astonished that the Gunātit, who hails from Akshardhām, sits here. Just as a son is the successor of his father, the successor of Mahārāj is the Satpurush. What is wrong in recognizing just Mahārāj? No! One has to understand the Satpurush along with him. Even today, one cannot understand Gunātit. How can one discern north or east if one has lost all sense of direction? There are only a few who remain close yet do not perceive any human traits.” In this way, Swāmishri spoke very meaningfully.

[Brahmaswarup Yogiji Mahārāj: 4/376]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase