॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું

મહિમા

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

12 March 1966, Mumbai. Explaining the meaning of Vachanāmrut Vartāl 11 during the discourse, Yogiji Mahārāj mentioned, “We are discoursing on the Vachanāmrut of becoming brahmarup.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/228]

નિરૂપણ

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન ને સંબંધવાળા ભક્તોની આગળ માન ન રાખવું. મોટા સાથે બાટકે તે માન. સામાન્ય માન પણ ન રાખવું. તે મુદ્દો. માનનો ભાવ કદાપિ હોય, પણ દેહે કરીને બતાવે નહીં તે સારો. પગે લાગે. એક જણ તપ કરવા બેઠો. તે દિવસથી એક મીંદડો પણ તેની સામે આવીને બેઠો. થોડા દિવસ થયા ત્યાં તપસ્વી સુકાઈ ગયા, પણ મીંદડો જાડો થઈ ગયો. તપસ્વીએ મીંદડાને પૂછ્યું, ‘તું શું ખાય છે તે આવો જાડો થયો છે?’ મીંદડો કહે, ‘હું તો તમારું માન છું, તે તમે સુકાઈ ગયા ને તમને તપનું માન વધી ગયું તેથી હું જાડો થઈ ગયો છું.’ આપણે તપ-ત્યાગ કરીએ પણ માનરૂપી મીંદડો વધવા દેવો નહીં. નિર્માની રહેવું. ભાર્યો દેવતા નખ્ખોદ કાઢી નાખશે. સ્વામિનારાયણનું નામ લેતા હોય, આશરો હોય ને ગુણાતીત સાથે વેર હોય તે અસુર થાય. દ્રોહ કરતો હોય તે દીઠોયે ન ગમે... કેવું કીધું! ગમે તેવો નાનો હોય તેનો દ્રોહ કરે તોય ન ગમે, તો ગુણાતીતનો કરે તો તો ક્યાંથી ગમે? હેત થઈ ગયું હોય તો સત્પુરુષની બધી ક્રિયા ગુણાતીત જ લાગે. ગુણાતીત! બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

March 12, 1966, Mumbai. While explaining Vachanāmrut Vartāl 11 in the assembly, Yogiji Mahārāj said, “We should not keep ego in front of God and devotees who have his association. Arguing with seniors is ego. Do not keep even a little ego. This is an important principle. Feelings of ego may be present, but not showing them outwardly is good. Bow down!

“Once, an ascetic started performing penance. From that day, a cat sat in front of him. After a few days, the ascetic lost weight, but the cat gained weight. The ascetic asked the cat, ‘What do you eat that made you this big?’ The cat said, ‘I am your ego. You have lost weight, but the ego of your penance has increased. Due to this, I have become big.’ We perform penance and sacrifice, but the ego-like cat should not enlarge. We should remain humble. Bhāryo devtā nakhkhod kādhi nākhshe! (The unseen embers will cause more harm.) If one chants Swāminārāyan and keeps refuge in God, but still keeps enmity towards the Gunātit Sant, then one becomes demonic. ‘I hate the sight of one who maligns the devotees of God’ - what did Mahārāj say! He does not like one maligning anyone, no matter how small they may be. So how can Mahārāj like it if one maligns the Gunātit Sant? If love has been developed, then all the actions of the Satpurush are considered gunātit. Gunātit! The Vachanāmrut that can make you brahmarup is being read.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/228]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase