॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૭: ભરતજીના આખ્યાનનું

નિરૂપણ

તા. ૨૮/૧૨/૧૯૫૬. રાત્રે મદ્રાસ જતાં ટ્રેનમાં યુવકોને બોલાવી, વચનામૃત ગઢડા અંત્ય ૧૭મું વચનામૃત વંચાવ્યું અને યોગીજી મહારાજે વાત કરી, “આમાં ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું, તે ચમત્કાર કયો? ભરતજીએ રાજ્ય મૂક્યું, સગાંવહાલાં મૂક્યાં, અને પોતે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, તો પણ એક તુચ્છ એવી મૃગલીમાં દયાએ કરીને બંધાયા. દયા કરતા પણ આવડવી જોઈએ, અને સાધારણ ઘટે તેમ રાખવી, પણ તેમાં બંધાવું નહીં. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે વૃત્તિ રહે એ મોટું પાપ છે. ખરેખરા મોટાપુરુષ હોય તે તો ક્રિયામાં બંધાય જ નહીં અને કોઈને બંધાવા પણ દે નહીં.

“સ્વામી જૂનાગઢના મહંત હતા પણ જોળી ખીંટીએ ટીંગાડી રાખતા, તે જો મહારાજનો ગઢડાથી કાગળ આવે કે તરત જ લઈને ગઢડા જવાની તૈયારી રાખતા. નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાનો વ્યવહાર કર્યો પણ સાલેમાળ માથે નાખ્યો એમ કહેતા. આજ્ઞાએ કરીને વ્યવહાર તો કરવો, જોડાવું પૂરેપૂરું, પણ તેમાં નિર્બંધ અને નિર્દોષ રહેવું. વ્યવહાર બંધનકારી ન થવો જોઈએ. એનું નામ જ સ્થિતિ કહેવાય.

“વ્યવહારના સંકલ્પ થાય, જગતના સંકલ્પ થાય, ત્યાં સુધી વાસના ટળી નથી. વાસના ટળે ત્યારે ભગવાનના જ સંકલ્પ રહે. વ્યવહારના સંકલ્પ ભગવાનની મૂર્તિ ભુલાવી દે અને ભક્તિમાં મોટું વિઘ્ન કરે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૭૪]

December 28, 1956. At night on the train to Madras, Yogiji Mahārāj called the yuvaks and had Vachanāmrut Gadhadā III-17 read and said, “Mahārāj says the story of Bharatji is miraculous. What miracle is he speaking of? Bharatji renounced his kingdom, loved ones, and he was the son of Rushabhdev Bhagwān; yet, he became bound by an insignificant deer because of his compassion. One should know when to show compassion - it should be ordinary and shown only when necessary. One should not develop affection because of compassion. It is a sin for a devotee of God to lodge their mind in anything except God. If the Motā-Purush is genuine, then he would not be bound by anything and would not let others bind to anything.

“Swāmi was the mahant of Junāgadh mandir. He always kept his jholi hanging on a peg in case Mahārāj called him to Gadhadā by letter. He could instantly grab his jholi and leave. Nishkulānand Swāmi handled the affairs of Dholerā mandir but said it was as if the Sālemāl mountain was thrown on him. One should engage in affairs because of God’s command, join in the affairs fully, but one should not become attached to it and remain free. Affairs should not become binding. That itself is an elevated state.

“If one has thoughts of social affairs, the world, then desires have not been eradicated. When desires have been eradicated, then only thoughts of God remain. Thoughts of social affairs will make one forget God’s murti and that is a great obstacle in liberation.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/174]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase