॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૨: સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું

પ્રસંગ

સં. ૧૯૯૨ના અધિક ભાદરવા માસમાં અમદાવાદ મુકામે શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં અલૌકિક પારાયણ યોજાઈ હતી. આ પ્રસંગે જુનાગઢ દેશના ગુણાતીત જ્ઞાનના અભ્યાસી શ્રી અર્જુનભાઈ રણછોડભાઈ ચાવડા પણ કથાલાભ લેવા આવતા. તેઓએ જૂનાગઢના સમર્થ સંતો સ્વામી નારણદાસજી, સ્વામી ત્યાગવલ્લભદાસજી તથા પીપલાણાના જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી વગેરેનો પણ સમાગમ કરેલો.

એક વાર ગોંડળના જૂના સ્વામિનારાયણ મંદિરમાં અર્જુનભાઈ દર્શન માટે ગયા હતા. ત્યાં સભામાં આ જ વચનામૃત ગઢડા પ્રથમ ૬૨ વંચાતું હતું. તે પરથી તેઓએ નારણદાસ સ્વામીને પૂછ્યું, “સ્વામી! સત્યશૌચાદિક કલ્યાણકારી ગુણ જો સંતમાં આવે તો તે સંત ભગવાનનું સ્વરૂપ ગણાય કે નહીં?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર નારણદાસ સ્વામીએ કહેલું, “એવા કલ્યાણકારી ગુણો જે સત્પુરુષમાં હોય તે સત્પુરુષ ભગવાનનું સ્વરૂપ જરૂર ગણાય.” ઘણા વખત પહેલાં સાંભળેલી આ વાત અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજની વાણી સાંભળી અર્જુનભાઈને સત્ય લાગી અને થયું કે: નક્કી આ શાસ્ત્રીજી મહારાજ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે.

બાદ તેઓએ શાસ્ત્રીજી મહારાજને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેના ખુલાસા કરી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “મારે તમને પાંચ – સાત વચનામૃતો સમજાવવા છે. માટે બોચાસણ સમૈયે આવજો.” તેથી અર્જુનભાઈ બોચાસણ ગયેલા અને આ વચનામૃત ગઢડા પ્રથમ ૬૨ મુજબ તેઓને ભગવાનના ઓગણચાલીસ કલ્યાણકારી ગુણો શાસ્ત્રીજી મહારાજમાં પ્રગટ છે તેવો નિશ્ચય થઈ ગયો. ગુણાતીત જ્ઞાનના જાણકાર અર્જુનભાઈને આટલાં વર્ષની તપશ્ચર્યાને અંતે સાચી વસ્તુ પ્રાપ્ત થયાનો અતિશય આનંદ થયેલો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૧૧]

Samvat 1992, in the month of second Bhādarvā, a grand pārāyan was held in Amdāvād in the auspicious presence of Shāstriji Mahārāj. Arjunbhāi Ranchhodbhāi Chāvadā, who was familiar with Akshar-Purushottam Upāsanā, came for the kathā. He had listened to talks of great sadhus from Junagadh, such as Nārandāsji, Tyāgvallabhdāsji, and Dharmaprasāddāsji.

Once, Arjunbhāi went for darshan in the old Swāminārāyan Mandir in Gondal. In the assembly, Gadhadā I-62 was being read. He asked Nārandās Swāmi, “If the redemptive attributes, such as satya, shauch, etc. are imbibed by a Sant, can that Sant be called Bhagwān’s form?”

Nārandās Swāmi, who had received Gunātitānand Swāmi’s grace, said, “Certainly, whoever possesses these attributes is the form of Bhagwān.”

While listening to Swāmishri’s pure speech in Amdāvād, Arjunbhāi recalled the former dialog with Nārandās Swāmi many years prior and realized that Shāstriji Mahārāj is indeed the manifest form of Bhagwān.

Later, he asked Shāstriji Mahārāj many questions. Swāmishri answered his questions and said, “I want to explain the principles of a few Vachanāmruts during the samaiyo in Bochāsan.” Arjunbhāi had gone to Bochāsan and solidified the belief that the 39 redemptive attributes are present in Shāstriji Mahārāj. He was overjoyed having found the truth that he was seeking after so many years.

[Brahmaswarup Shāstriji Mahārāj: 2/11]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase