॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૬: સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું

પ્રસંગ

યોગીજી મહારાજના જીવન સાથે પણ આ વચનામૃતની એક સ્મૃતિ સંકળાયેલી છે. તા. ૨૧/૧/૧૯૬૪ની સવારે યોગીજી મહારાજ આ વચનામૃત ગઢડા પ્રથમ ૨૬ સમજાવી રહેલા. આ વચનામૃતના વર્ણનમાં આવે છે કે શ્રીજીમહારાજ ‘બપોરના સમે’ બિરાજમાન હતા. તે પર યોગીજી મહારાજ બોલ્યા, “મહારાજ જમીને તરત બેઠા હશે. આરામની ક્યાં વાત? મહારાજ આરામ લે તો બ્રહ્માંડ ઊંધું પડી જાય... હવે કારણની વાત કરશે.” એમ કહી વચનામૃત આગળ વંચાવ્યું, પરંતુ તેમાં ‘કારણ’ જેવી વાત ન આવી.

તેથી કહે, “લાવો વચનામૃત. કારણનું ન આવ્યું.” પછી પોતે વચનામૃત લઈ તપાસવા માંડ્યા. હર્ષદભાઈએ ચશ્માં આપ્યા. પછી વાંચ્યું. અંતે બોલ્યા, “આ સૂક્ષ્મ વાત કરી છે. કારણ શરીરનું નામ નથી પાડ્યું. પણ હૃદયમાં ભગવાન દેખાય ત્યારે કારણનો નાશ થાય એમ સમજવું. આ મોટા પુરુષે વાત કરેલી છે. ઇતિ વચનામૃતમ્.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૩]

On the morning of January 21, 1964, Yogiji Mahārāj was discoursing on Gadhadā I-26. In the narrative, it is mentioned that Shriji Mahārāj was seated in the afternoon time. So Yogiji Mahārāj said, “Mahārāj must have sat down after eating. Where was the time for rest? If Mahārāj rested, the whole brahmānd would turn upside down… Now he will talk about the cause (kāran).” Saying this he had the rest of the Vachanāmrut read, but no where was kāran mentioned.

Yogiji Mahārāj said, “Bring the Vachanāmrut. Kāran was not mentioned?” He started to examine the Vachanāmrut himself. Harshadbhāi gave him his glasses. Finally, Yogiji Mahārāj said, “This is a subtle talk. Kāran has not been referred to explicitly. But when one can see Bhagwān in their heart, then kāran [body] is destroyed – one should understand this way. This has been mentioned by a Motā Purush. Iti Vachanamritam.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/583]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase