॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૭: વજ્રની ખીલીનું

પ્રસંગ

તા. ૧૮/૮/૧૯૫૬, શનિવારના રોજ આ વચનામૃત સાથે સંલગ્ન એક વાત કરતાં યોગીજી મહારાજ કહે, “કુંકાવાવના દામોદર ભક્ત હતા. તેમણે સભામાં છેલ્લાનું ૭મું વચનામૃત વાંચવામાં કાંઈ ગડબડાટ કર્યો. ત્યાં સભામાં મહારાજના મળેલા ગીલા ભક્ત કે જે નિરાવરણ દૃષ્ટિવાળા હતા તે બેઠેલા. તે કહે, ‘કથા વાંચવામાં ગરબડાટ કર્યો ને મહારાજ, સ્વામી ચાલ્યા ગયા.’ માટે કથામાં મહારાજ, સ્વામી, સંતો પ્રગટ બિરાજતા હોય તો તેમની મર્યાદા રાખી, સભામાં શાંતિ રાખવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૯૮]

August 18, 1956. Yogiji Mahārāj said, “There was a devotee named Dāmodar Bhakta from Kunkāvāv. He caused a disruption during the reading Vachanāmrut Gadhada III-7. Gilā Bhakta (who had met Shriji Mahārāj and possessed a constant vision of Mahārāj) was present in the assembly. He said, ‘Since there was a disruption in the reading, Mahārāj and Swāmi left.’ Undoubtedly, Mahārāj and Swāmi are always present during kathā, and we should respect their presence by maintaining silence.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/98]

હરિભક્તસું રાખત પૂરન પ્યાર

તા. ૨૪/૫/૧૯૭૯, સાંકરી. પ્રાતઃપૂજા બાદ આરંભાયેલી કથામાં પ્રમુખસ્વામી મહારાજ વચનામૃત(ગઢડા અંત્ય ૭)ના નિરૂપણ દરમ્યાન ભક્તનો પક્ષ રાખવાની અદ્‌ભુત વાતો કરવા લાગ્યા. તેમાં એક સત્સંગીને બચાવવા જતાં પોતે ત્રણ ગોળમટાં ખાઈ ગયેલાં તે પ્રસંગ પણ તેઓએ વિસ્તારથી કહ્યો. તેના અનુસંધાનમાં એક પાર્ષદે કહ્યું, “બાપા! આપે જે ભક્તને પક્ષ રાખી બચાવ્યા તે તો આપણું વાંકું બોલે છે!”

“તે આપણે જોવું નહીં.” સ્વામીશ્રીએ તરત જ પાળ બાંધતાં કહ્યું. પછી બોલ્યા, “તે હરિભક્ત તો છે જ ને! માટે આપણે તો પક્ષ રાખવો.”

આ શબ્દોમાંથી ઊડી રહેલી સ્વામીશ્રીની શુદ્ધ ભાવનાની છોળ્યોમાં સૌ તરબોળ થઈ ગયા. ‘હરિભક્તસું રાખત પૂરન પ્યાર...’ સમા તેઓએ કોઈનાય સ્વભાવ સામે જોયા વિના સૌને પ્રેમ પાયેલો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૧]

Keeps Complete Affection Toward Devotees

May 24, 1979, Sankari. After morning puja, Pramukh Swami Maharaj spoke from Vachanamrut Gadhada III-7 about maintaining loyalty toward devotees. In his discourse, Swamishri talked in detail how he tumbled three times in an attempt to save another satsangi. Regarding this incident, a parshad said, “Bapa, the devotee you loyally saved actually speak ill of you!”

“Do not look at that!” Swamishri immediately countered. Then, he continued, “He is still a devotee. Therefore, maintain loyalty toward him.”

Pure sentiments flowed from these words and drenched everyone present. Swamishri maintained complete affection toward devotees while overlooking their base natures.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/51]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase