॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૩: બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય?

પ્રસંગ

અલૌકિકતાની આરપાર

તા. ૨૫મીએ બપોરની કથામાં વચનામૃત વરતાલ ૧૩મું વંચાતું હતું. એમાં મહારાજની મૂર્તિનું વર્ણન આવ્યું: “...અને હસ્ત કમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા.” એ સાંભળી સ્વામીશ્રી તુરત બોલ્યા, “કેવી મજા આવતી હશે! મહારાજ કેવા શોભતા હશે!”

“અત્યારે પણ એ જ સુખ આવે છે.” નારાયણ ભગતે કહ્યું.

“મંદવાડમાં શું સુખ આવે?”

“આંબો તે આંબો. લીલોયે આંબો ને સૂકોયે આંબો.” નારાયણ ભગત બોલ્યા.

વચનામૃતમાં આગળ શબ્દો આવ્યા: “તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે.”

આ સાંભળી સ્વામીશ્રી એકદમ બોલ્યા: “ઈ મુદ્દો પાછો પકડ્યો.” એમ ભાર મૂકતાં રહસ્ય સમજાવ્યું કે મનુષ્યરૂપમાં અલૌકિકતા જોવી. નારાયણ ભગતના કથનને માર્મિક રીતે સમર્થન આપ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૩૮]

On the 25th, during the afternoon discourse, Vachanāmrut Vartāl 13 was being read. The following description was read: “ tossing a pomegranate fruit in His hand.” Hearing this, Yogiji Mahārāj immediately said, “What joy must they experience! How attractive must Mahārāj look!”

“We experience the same bliss today.” Narayan Bhagat said.

“What bliss do you experience from [me] being sick?”

“A mango tree is a mango tree. Even if it is evergreen or if it is dried up.” Narayan Bhagat replied.

Further in the Vachanāmrut, the following words were read: “By appearance, God’s form appears similar to that of any human; however, it is an exceptionally divine form.”

Hearing this, Swāmishri suddenly said, “They grasped the same principle again!” So saying, Swāmishri explained seeing divinity in the human form and tacitly agreed with Narayan Bhagat.

[Brahmaswarup Yogiji Mahārāj: 5/438]

આજે વચનામૃત વરતાલ ૧૩મું વંચાયું. એમાં શ્રીજીમહારાજનું વર્ણન આવ્યું: “શ્રીજીમહારાજની ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર બિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકી શ્રીજીમહારાજ વિરાજમાન હતા.” આ સાંભળીને સ્વામીશ્રી તુરત બોલ્યા, “મહારાજ કેવા શોભતા હશે? એ વખતે આપણે હોત તો કેવી મજા પડત?” પ્રત્યક્ષ દર્શનનો મહિમા સમજાવતાં સ્વામીશ્રીએ ઇષ્ટભક્તિનું દર્શન કરાવ્યું. મહારાજ સિવાય જેને કંઈ વહાલું જ ન હોય, એ જ આ ભાવ વ્યક્ત કરી શકે.

વચનામૃતમાં આગળ વાત આવી કે ઘણાંક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે સમાધિ કરાવે છે.

“અત્યારે તો મહારાજ ઓરડામાં જ રહે છે, એટલે કોઈનુંય કલ્યાણ નહિ થતું હોય!” એક સંત રમૂજમાં બોલ્યા.

એ સાંભળી સ્વામીશ્રી કહે, “પચાસ વર્ષ તો કલ્યાણ કર્યાં, હવે એક મહિનો ઓરડામાં પડી રહીશું, એમાં શું?” સ્વામીશ્રીએ પણ રમૂજ સાથે સમર્થન આપતા સૌને આનંદ કરાવ્યો.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૨૬]

Today, Vachanāmrut Vartāl 13 was read. The following description was read: “...a decorated umbrella with a golden, egg-shaped top-piece had been placed above His head. Shriji Mahārāj sat adorned in such a beautiful manner, tossing a pomegranate fruit in His hand.”

Hearing this, Yogiji Mahārāj said, “How attractive must Mahārāj have looked. If we were present at that time, how much would we have enjoyed that?” Swāmishri showed his bhakti toward God by relishing the description of Mahārāj as if he was present right before him. One who has nothing dear to him can show these feelings of love toward God.

Later, it was mentioned that: “...if God wishes to attract many people towards Him, then even people who are not devotees, and even animals, attain samādhi upon seeing Him.”

“Today, Mahārāj stays in his room. Therefore, no one is being liberated!” One sadhu said jokingly.

Swāmishri reciprocated jokingly with a reply, “For 50 years, [I] granted liberation. Now, for one month [I’ll] stay in my room. So what?”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/426]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase