॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Panchala-6: Those with Firm Upāsanā Attain Liberation
Prasang
In 1881 (VS 1937), Acharya Vihārilālji Mahārāj sent Bhagatji Mahārāj to Nadiād with Bhumānand Swāmi. During their stay, a question arose in the assembly regarding the difference between avatārs (incarnations) and the avatāri (the source of all incarnations). When no one could provide a satisfactory answer, Bhumānand Swāmi said, “Call Prāgji Bhakta; he will be able to answer this.”
Bhagatji requested the reading of Vachanāmrut Panchālā 6 and then explained, “In this Vachanāmrut, Shriji Mahārāj has spoken about his own form under the guise of Shri Krishna. He states: ‘It has become apparent that there has not been any avatār as powerful as Shri Krishna, because Shri Krishna exhibited in various ways the characteristics of all the countless other forms of himself.’
“The authors of the shāstras also concur. This is evident because the form of Parabrahman Purushottam is described in these scriptures as powerful, miraculous, brilliant, valiant, and lustrous, possessing many other divine traits. The Vedas also sing the glory of that form. The power, miracles, radiance, and attributes of Purushottam were witnessed in Shri Krishna in a manner neither seen nor heard of in previous incarnations. At that time, no form was as powerful as his, leading everyone to proclaim Shri Krishna as the Purushottam Parabrahman described in the shāstras.
“Likewise, Shriji Mahārāj exhibited numerous divine exploits during his time on earth. He manifested the 24 incarnations from his own form and then merged them back into himself—extraordinary, miraculous powers he directly displayed to Parvatbhāi, Swarupānand Swāmi, and Vyāpkānand Swāmi. Moreover, he granted samādhi to countless spiritual aspirants, revealing their chosen deities to them in their respective abodes. He freed tens of thousands of people from the bondage of sensory pleasures and attached them to his divine form.
“Some witnessed Mahārāj’s life with their own eyes, while others heard of his exploits from eminent figures in Satsang. Trusting their accounts, it is evident that the characteristics of Purushottam Parabrahman mentioned in the shāstras are fully present in Shriji Mahārāj, establishing him as Parabrahman Purushottam. Mahārāj further reveals in this Vachanāmrut: ‘That avatār [Shri Krishna] reigns as supreme. Only some powers have been revealed through the other avatārs. This avatār [referring to himself], however, has revealed all divine powers and strength.’ Therefore, Mahārāj’s incarnation is the greatest of all. Furthermore, Mahārāj emphasizes keeping faith in the pratyaksh (manifest) form of Shri Krishna, because only this manifest incarnation is supreme and has displayed all divine powers. Thus, Shriji Mahārāj alone is supreme—the Parabrahman Purushottam and the cause of all incarnations.”
Bhagatji’s precise and profound explanation thoroughly convinced the sadhus and devotees present that the source of all incarnations was none other than Shriji Mahārāj himself.
વચનામૃત પંચાળા ૬ સાથે શ્રીજીમહારાજના સર્વોપરીપણાના પ્રતિપાદનની એક ઐતિહાસિક સ્મૃતિ આ રીતે સંકળાયેલી છે.
સં. ૧૯૩૭માં આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજે સદ્ગુરુ ભૂમાનંદ સ્વામીના મંડળમાં ભગતજી મહારાજને ફરવા મોકલેલા. લગભગ છ મહિના સુધી ચરોતર પ્રદેશમાં આ મંડળ ભેગા ભગતજી મહારાજે વિચરણ કરેલું.
વિચરણ દરમ્યાન આ મંડળ નડિયાદ આવેલું. અત્રે મંદિરમાં એક દિવસ અવતાર-અવતારીનો પ્રશ્ન નીકળ્યો. કોઈથી બરોબર ઉત્તર થયો નહીં. તેથી ભૂમાનંદ સ્વામીએ કહ્યું, “પ્રાગજી ભગતને બોલાવો. તે ઉત્તર કરશે.” એટલે ભગતજીને સભામાં બોલાવ્યા. તેમણે વચનામૃત પંચાળા ૬ વંચાવતાં વાત કરી:
“આ વચનામૃતમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણનું મિષ લઈને પોતાના સ્વરૂપની વાત કરી છે. શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી, કારણ કે પોતાની ભિન્ન ભિન્નપણે રહેલી જે સર્વે મૂર્તિઓ, તે સર્વેનો ભાવ પોતાની મૂર્તિને વિષે શ્રીકૃષ્ણ ભગવાને બતાવ્યો. માટે એ અવતાર બહુ જ મોટો થયો છે. તે એવું શાસ્ત્રકારોએ નક્કી કર્યું. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ – તેમનું સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, વીર્ય, ઓજસ વગેરે લક્ષણોનું જે વર્ણન શાસ્ત્રમાં કર્યું છે અને વેદોએ પણ જે સ્વરૂપની સ્તુતિ કરી છે તે પુરુષોત્તમનાં સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, ઓજસ વગેરેનાં દર્શન આ શ્રીકૃષ્ણને વિષે જે કંઈ અંશે દીઠું અને સાંભળ્યું, તેવું બીજી એ અવતારની પૂર્વની મૂર્તિઓને વિષે દીઠું પણ નહીં હોય અને સાંભળ્યું પણ નહીં હોય; તેમ જ તે કાળમાં પણ એવી કોઈ સમર્થ મૂર્તિ નહોતી. તેથી શાસ્ત્રમાં વર્ણન કરેલા પુરુષોત્તમ પરબ્રહ્મ આ શ્રીકૃષ્ણ જ છે એમ સર્વેએ ગાન કર્યું.
“હવે શ્રીજીમહારાજે જે ચરિત્રો કર્યાં અને પોતાની મૂર્તિમાંથી ચોવીસ અવતારની મૂર્તિઓ પ્રગટ કરી પાછી પોતાની મૂર્તિમાં લીન કરી દીધી એવું જે અસાધારણ ઐશ્વર્ય પર્વતભાઈને, સ્વરૂપાનંદ સ્વામીને તથા વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યું; તેમ જ મુમુક્ષુજનોને સમાધિ કરાવી પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન પોતે કરાવ્યાં અને સર્વેનાં ધામ દેખાડ્યાં; અને લાખોને નિર્વિષયી કરીને પોતાની મૂર્તિને વિષે જોડી દીધા; એ સર્વે જે મહારાજનાં ચરિત્ર જેણે જેણે પ્રત્યક્ષપણે જોયાં હોય અને મોટા થકી તે સાંભળ્યાં હોય, તેમના વચનમાં વિશ્વાસ લાવીએ ત્યારે આપણને જણાય કે શાસ્ત્રમાં લખ્યા જે પુરુષોત્તમ પરબ્રહ્મનાં સર્વ લક્ષણ શ્રીજીમહારાજને વિષે મૂર્તિમાન દેખાય છે, માટે શ્રીજીમહારાજ એ જ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. વળી, મહારાજે શ્રીમુખે આ વચનામૃતમાં આગળ કહ્યું છે કે અવતાર (શ્રીકૃષ્ણનો) સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે (મહારાજના) કરીને સંપૂર્ણ ઐશ્વર્યશક્તિ જણાવી. માટે આ અવતાર મહારાજનો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દૃઢ મતિ રાખવી. આ અવતાર જ સર્વોપરી છે અને સંપૂર્ણ ઐશ્વર્ય આ અવતારે જ બતાવ્યું છે. માટે શ્રીજીમહારાજ એ જ સર્વોપરી અને સર્વ અવતારમાત્રના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે.”
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૮૦]