॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૨: સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું

નિરૂપણ

એકડા વિનાનાં મીંડાંનો કોઈ સરવાળો મળતો નથી. તેમ સાધના માર્ગમાં ભગવાન એકડાની જગ્યાએ છે અને બીજા ગાન-વાદન-કીર્તન વગેરે તમામ સાધનો મીંડાંની જગ્યાએ છે. ભગવાનને આગળ રાખીને, તેમની સ્મૃતિ સહિત આ સાધનો કરવામાં આવે તો તેનું યથાર્થ ફળ મળે છે, પરંતુ તેમને વિસારીને જો કોઈ પણ સાધન કરવામાં આવે તો તેનું યથાર્થ ફળ મળતું નથી. આ વચનામૃતનો આ મુખ્ય મુદ્દો છે, જેને સંપાદક પરમહંસોએ અહીં શીર્ષકમાં જ ‘એકડા’ના સુંદર દૃષ્ટાંત દ્વારા સચોટ બનાવ્યો છે.

A trails of zeroes without the digit ‘1’ leading them amounts to nothing. On the spiritual path, Bhagwan is ‘1’ and singing kirtans, playing musical instruments, etc. are like zeroes. One receives the true fruit if one engages in these spiritual endeavors with the remembrance of Bhagwan. However, forgetting Bhagwan, no spiritual endeavor results in true fruits. This is the main principle of this Vachanamrut; therefore, the compiling paramhansas gave it a meaningful title ‘ekadā’ (the digit ‘1’).

વચનામૃત ગ. પ્ર. ૨૨ નિરૂપતાં સ્વામીશ્રીએ કહ્યું, “ભગવાન કેમ સંભારવા? તો હું જમું છું તે ભેળા મહારાજ જમે છે. ભણતાં ભણે છે. ‘શું દૂધપાક!’ એમ સ્મૃતિ વગર જમે તો મહારાજ જમશે? ભાવથી ધરવો જોઈએ. મહારાજ ને સ્વામી બેઠા છે, એમ ધારી વાંચવું. ટેવ પાડવી જોઈએ. હાલતામાં મહારાજ-સ્વામી ભેળા હાલે છે. દેહભાવ નહિ, વૃત્તિ જોંટ (જોઇન્ટ) રાખવી જોઈએ. ભગતજીના શિષ્ય વિજ્ઞાનદાસ સ્વામી વૃત્તિ રાખતા. સંત સુખિયા. સ્ત્રી ને ધન હૈયામાંથી કાઢીએ તો સુખિયા. એ બે વસ્તુનો લોચો કાઢવો. મહારાજે કાઢ્યો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૩]

Explaining Gadhada I-22, Yogiji Maharaj said, “How should one remember Bhagwan? Bhagwan eats while I eat. He studies while I study. Without remembering Bhagwan - ‘wow, what tasty dudhpāk!’ – will Maharaj eat [with you]? One should read with the thought that Maharaj and Swami are present. Develop a habit. While walking, Maharaj and Swami are walking with me. One should attach their vrutti on Bhagwan. Bhagatji Maharaj’s shishya Vignandas Swami maintained his vrutti on Bhagwan. Sant is always happy. If we rid our heart of women and wealth, then we are happy. One should forsake the entanglement of these two things. Maharaj did just that.”

[Brahmaswarup Yogiji Maharaj: 3/253]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase