॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૭: ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું

નિરૂપણ

પ્રશ્ન: “અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના એટલે શું? તે કેમ અને કોના થકી શીખવી? તે ઉપાસના જીવનમાં કેવી રીતે દૃઢ થાય?”

યોગીજી મહારાજ કહે, “અક્ષર એટલે સનાતન અક્ષરધામ. મહારાજનું સ્વરૂપ ગુણાતીત. અક્ષરને જાણ્યા વગર પુરુષોત્તમના ધામમાં ન જવાય. બારોબાર પુરુષોત્તમ જણાય નહીં. વચનામૃત લોયાના ૭માં મહારાજે કહ્યું છે, ‘અક્ષરધામરૂપ-બ્રહ્મરૂપ થાય તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.’ ગુણાતીત સ્થિતિને પામે તો જ પુરુષોત્તમને વરણીય થવાય. સ્વામીની વાતુમાં શિવલાલભાઈનો પ્રશ્ન છે, ‘બ્રહ્મરૂપ કેમ થવાય?’ સ્વામીએ અંતર્યામીપણે જવાબ દીધો છે, ‘આ સાધુને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર ગુણાતીત સ્વામીએ વરતાલનું ૧૧મું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’ બીજો કોઈ આવું બોલી ન શકે. તેને તો એમ થાય કે ‘આમ તે કહેવાતું હશે?’ બીજા બધા સાર્વજનિક સાધુ; પણ ગુણાતીત એક જ. ગુણાતીતને જ બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને જો તેનો સંગ કરે તો બ્રહ્મરૂપ થાય.”

[યોગીવાણી: ૨૫/૮૦]

Question: “What does the Akshar-Purushottam Upāsanā mean? How should we learn it and from whom? How can we make it firm in our life?”

Yogiji Mahārāj: “Akshar means the eternal Akshardhām. Mahārāj’s form is gunātit. Without understanding Akshar, one cannot attain Purushottam’s divine abode. One cannot know Purushottam directly (without Akshar). Mahārāj has said in Vachanāmrut Loyā 7: ‘Only one who becomes brahmarup has the right to worship Purushottam.’ One can only become suitable to worship Purushottam by attaining the gunātit state.

“Shivlālbhāi has asked a question in the Swāmini Vāto (3/12): ‘How can one become brahmarup?’ Swāmi answered this question omnisciently: ‘One who understands this Sādhu as brahmarup and associates with him through thought, deed and word becomes brahmarup.’ Upon this subject, Gunātitānand Swāmi had Vachanāmrut Vartāl 11 read and then said, ‘When one becomes like this (brahmarup), one is able to remain in the service of Purushottam.’ No one else can say this. Others would hesitate, ‘How can anyone say this?’ All others sādhus are common but the Gunātit Sadhu is unique. One becomes brahmarup only if one understands the Gunātit Sādhu to be brahmarup and associates with him through thought, deed and word.

[Yogi Vāni: 25/80]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase