॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૪: સમજણ આપત્કાળે કળાય છે

ઇતિહાસ

“દાદા! જાણે છે? બાપુ જીવાખાચર હવે છેલ્લો દાવ રમી રહ્યા છે. તારો ગરાસ તેમને ઝૂંટવી લેવો છે. તારા દરબારમાં તેમને પોતાના નેજા ફરકાવવા છે. તમને સૌને ભૂંડા હાલે રઝળતા કરી દેવા છે... મુક્તાનંદ સ્વામી! બાપુ જીવાખાચરે બે હજાર માણસો ભેગા કર્યા છે. મોટું ધિંગાણું થવાનું છે. એ બહાને ભાવનગરથી આરબો બોલાવ્યા છે. કાલે તો તે આંહી હલ્લો કરશે. કદાચ દાદાના ભાગનાં ગામોનો પણ કબજો લઈ લ્યે!”

હજી તો શ્રીજીમહારાજ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યાં તો મેઘજી અને હસન હાંફતાં-હાંફતાં આવ્યા અને કહેવા લાગ્યા, “મહારાજ! ગજબ થઈ ગયો! લક્ષ્મીવાડીમાં આપણો આખો શેરડીનો વાઢ કોઈએ સળગાવી દીધો છે. બધું ભડકે બળે છે.”

સોમલા ખાચરે પણ અવગતની આ એંધાણીમાં ટાપશી પૂરતાં કહ્યું, “મહારાજ! દરબારગઢની ડેલીએ કાઠીઓ તથા આરબોનું ટોળું હોકારા ને પડકારા કરે છે. માટે ઝટ હુકમ કરો.”

શ્રીજીમહારાજે આદેશ આપ્યો, “સોમલા! તમને સૌને અમારા આશીર્વાદ છે. સમરાંગણમાં પટા ખેલતાં શત્રુઓનાં માથાં તમારી તલવારોના ઝાટકાથી ટપોટપ ઊડવા માંડશે. માટે કરો કંકુના. કદાચ સો-બસોનાં માથાં વધેરાઈ જાય તો પણ દાદા ખાચરની રક્ષા માટે ઓછું છે.”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૯૪-૯૬]

વચનામૃત ગઢડા પ્રથમ ૭૪માં શ્રીજીમહારાજે ઉચ્ચારેલા શબ્દો “... આ દાદા ખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌનું જણાણું હશે...”ની પૂર્વભૂમિકા ઉપરોક્ત પ્રસંગ છે. દાદા ખાચરના કાકા જીવા ખાચરે દાદાની જમીન ઉચાપત કરી જવા જે પેંતરો રચેલો તેને શ્રીજીમહારાજે પોકળ સાબિત કરી દીધેલો. પરંતુ આ ઘટનાચક્ર ફર્યું તે દરમ્યાન કેટલાય સંતો-ભક્તોના મન ચકડોળે ચઢી ગયા હશે કે: “સત્સંગમાં આવું કેમ?” આ વિચારવમળને શમાવવા શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૭૪માં સામેથી જ વાતનો ઉપાડ કર્યો, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં અને ઝાઝી સંપત કે આપત આવે એની શી વાત કહેવી? પણ આ દાદા ખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે...”

આમ, વચનામૃત ગઢડા પ્રથમ ૭૪નું પગેરું દાદા ખાચર પર આવેલી આફત સુધી પહોંચેલું જણાય છે. વચનામૃત ગઢડા પ્રથમ ૭૪ના આ ઘર સુધી પહોંચતાં એક વિશેષતા એ નજરે ચઢે છે કે બે હજારનું સૈન્ય હલ્લો બોલાવવા રીડિયારા કરતું હતું છતાં શ્રીજીમહારાજ કહે છે, “... થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું...” આ વચનો પરથી ખ્યાલ આવે છે કે આ વચનામૃતમાં તેઓએ ઉદ્‌બોધેલી ભગવાનના કર્તાહર્તાપણાની સમજણ તેઓના જીવનમાં સારવાર ઊતરેલી હતી.

“Dādā, have you heard? Jivā Khāchar is playing his last card. He wants to seize your land and raise his flag over your darbār and make you all wander aimlessly... Muktānand Swāmi, Bāpu Jivā Khāchar has gathered and army of 2,000 for a big battle. He has requested an army of Arabs from Bhāvnagar for an attack tomorrow and may even take control of Dādā Khāchar’s share of villages.”

As Mahārāj was speaking, Meghji and Hasan arrived short of breath and burst out, “Mahārāj, calamity has struck. Our whole crop of sugarcane has been burned in Lakshmivādi. Everything is raging in flames.”

Somlā Khāchar, seeing signs of an imminent battle, added, “Mahārāj, the Kāthis and Arabs are face to face in the courtyard of the darbār’s fort ready to clash. Please give us orders.”

Shriji Mahārāj gave His āgnā, “Somlā, you all have my blessings. With your swinging swords on the battlefield, the enemies’ heads will separate and fall like rain drops. Even if 100 or 200 heads are severed, as long as Dādā Khāchar [and his land] is protected, that is still not enough.”

[With Shriji Mahārāj’s āgnā, the Kāthis, pārshads, and few sādhus took up weapons to face the Arabs armed with rifles. The Arabs’ rifles failed to fire, allowing Kāthis to overcome the Arab army, which eventually fled. Hence, Mahārāj protected Dādā Khāchar and everyone who fought for him with loyalty.]

[Bhagwān Swāminārāyan – Part 4/194-96]

The above incident is the background to Shriji Mahārāj words in this Vachanāmrut: “… everyone must have realised the state of their own antahkarans during the minor difficulty that recently befell Dādā Khāchar.” Dādā Khāchar’s uncle Jivā Khāchar had plotted to embezzle his land. To protect Dādā Khāchar, Shriji Mahārāj Himself had exposed this as a mere ploy by Jivā Khāchar. However, when these tactics were being played by Jivā Khāchar, many satsangi minds turned like Ferris wheels: “How can this happen in Satsang?” To ease their minds, Mahārāj Himself spoke: “The extent of one’s vairāgya and one’s understanding can be measured only when one encounters vishays, or in times of some hardship, but not otherwise. That being so, what can be said about situations of extreme prosperity or hardship? For example, everyone must have realised the state of their own antahkarans during the minor difficulty that recently befell Dādā Khāchar.”

The basis for Gadhadā I-74 seems to be the calamity that struck Dādā Khāchar. It should be noted that an army of 2,000 had reached Dādā Khāchar’s darbār; yet Mahārāj says, “… minor difficulty that befell Dādā Khāchar.” We learn from these words how firm the understanding that God is the all-doer is in His life.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase