॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૫: દૈવી-આસુરી થયાના હેતુનું

ઇતિહાસ

આ વચનામૃતમાં વડોદરાના શાસ્ત્રી શોભારામ પ્રશ્ન પૂછે છે, “હે મહારાજ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિ છે કે કાંઈક યોગે કરીને થયા છે?”

પ્રશ્ન પૂછનાર શોભારામ શાસ્ત્રી વિષે લખાયું છે: “સત્સંગમાં ઉદર ભરવાની જેને આશા ન હતી પણ ભગવાનનો જ એક ખપ હતો તેવા પંડિત વિપ્ર શોભારામ શાસ્ત્રી હતા. તે વિદ્યામાં કુશળ હતા. વ્યાકરણાદિ ગ્રંથમાં હજાર શાસ્ત્રીમાં મુખ્ય કહેવાતા. ગાયકવાડ સરકાર પણ તેમને માનતા તથા કરોડાધિપતિ પણ તેમને માન આપતા. શોભારામ બહુ મોટા શાસ્ત્રી હોવા છતાં વિદ્યાનો છક કે અભિમાન કાંઈ રાખતા નહીં. સંતો જેને જેવી આવડે તેવી વાત કરે તો પણ શોભારામ શાસ્ત્રી બહુ ભાવથી સાંભળતા. લગાર પણ તર્ક કરતાં નહીં. જે પૂછે તેને સ્વામિનારાયણ ભગવાન છે તેમ કહેતા. નિષ્કપટી સત્સંગી હતા...”

[હરિચરિત્રામૃતસાગર: ૨૦/૨૦]

આવા શોભારામ શાસ્ત્રી જ્યારે શ્રીજીમહારાજ સં. ૧૮૮૨ના કાર્તિક વદિ ત્રીજના દિવસે વડોદરા પધાર્યા ત્યારે વડોદરામાં જ હતા. અહીં તેઓએ રાજ્યના દીવાન વિઠ્ઠલરાવ દેવાજી દ્વારા શ્રીજીમહારાજને જેર કરવા માટેના જે પેંતરા રચાયેલા તે તમામ જોયા-જાણ્યા-સાંભળ્યા હશે.

શ્રીજીમહારાજના વડોદરાના નિવાસ દરમ્યાન દીવાને ત્રણ માંત્રિકોને શ્રીજીમહારાજ પર મલિના પ્રયોગો કરવા મોકલ્યા હતા. તેમાં સફળતા ન મળતા ત્રણ હબસીઓને સાધુના વેશમાં કેડે ઝેર પાયેલા ખંજર ખોસાવી શ્રીજીમહારાજને પતાવી દેવા મોકલેલા. એટલું જ નહીં, શ્રીજીમહારાજ મસ્તુબાગમાં જ્યાં ઊતરેલા ત્યાંથી રાત્રે તેઓને કેદ કરવા અથવા મારી નાંખવાનો કારસો પણ રચેલો, પરંતુ રાત્રે મુશળધાર વરસાદ વરસી પડતાં આ યોજના પણ ઊંધી વળી ગઈ. ઉપરાછાપરી પરાજયો મળવા છતાં દીવાનની સાન ઠેકાણે ન આવી. તેથી તેણે વડોદરાથી વિદાય લેતી વખતે શ્રીજીમહારાજને પકડી લેવા ચાર સરદારો રોકેલા. પણ તેઓ હાથ ઘસતા રહી ગયા અને મહારાજ નીકળી ગયેલા.

માત્ર ત્રણેક દિવસના રોકાણમાં શ્રીજીમહારાજને પૂરા કરવાના ચાર-ચાર વાર થયેલા આવા હીના પ્રયત્નોથી શોભારામ શાસ્ત્રીના મનમાં વિચારવમળો ઘુમરાયા હશે. દીવાનની આસુરી વૃત્તિએ મૂકેલી માઝાને જોઈ શોભારામ તે અનુસંધાનમાં અહીં પ્રશ્ન પૂછતા હોય તેમ જણાય છે, કારણ કે ઉપરોક્ત ઘટનાક્રમ પછીના જ અરસામાં ઉદ્‌બોધાયેલું આ વચનામૃત છે.

In this Vachanāmrut, Shobhārām Shāstri of Vadodarā asks Mahārāj, “Mahārāj, there are two types of jivas: godly and demonic. Have they always been so since eternity, or have they become so due to association?”

It has been written about Shobhārām Shāstri: He had no worries about shortage of food, but only had the eagerness for God. He had profound knowledge. He ranked highest in vyākaran (Sanskrit grammar) among a thousand Shāstris. He was honored by the Gāyakwād of Vadodarā and the wealthy of that time. Despite being a great scholar, he did not bear arrogance. When sādhus spoke to him as according to their understanding, he would listen as if he knew nothing. He never let logic impede his understanding and always said that Shriji Mahārāj is God. He never bore deceit…

[Haricharitrāmrut Sāgar 20/20]

Shobhārām Shāstri was present in Vadodarā when Shriji Mahārāj arrived on Kārtik vad 3 of Samvat 1882. He must have witnessed all the ways the Diwān Viththalrāv Devāji tried to plot Bhagwān Swāminārāyan’s capture.

While Mahārāj was staying in Vadodarā, the Diwān sent three men who practiced black magic to use their skill on Mahārāj. Their incantations failed to work on Mahārāj, so the Diwān sent three Africans to stab Mahārāj with daggers dipped in poison. Finally, he plotted Mahārāj’s capture or assassination in Mastubāg where Mahārāj was staying. However, heavy rainfall foiled his plan.

Despite failing multiple times, the Diwān never backed down. Even as Mahārāj was departing Vadodarā, he sent four generals to capture Mahārāj but even they were left empty handed.

Within three short days of Mahārāj’s stay, the Diwān tried four times to defame, capture, or assassinate Shriji Mahārāj – these thoughts must have certainly occurred in Shobhārām Shāstri’s mind. The length and breadth of the Diwān’s demonic nature begged the question that Shobhārām Shāstri asked Mahārāj because this Vachanāmrut was spoken right after these incidents.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase