॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨: ત્રણ પ્રકારના વૈરાગ્યનું

ઇતિહાસ

વચનામૃત ગઢડા પ્રથમ ૨નો દિવસ જોતાં આ વચનામૃત આગળના ગઢડા પ્રથમ ૧ના ઉદ્‌બોધન પછીના તરતના જ દિવસનું છે. આ અરસામાં ગઢડામાં કેવો પ્રસંગ બન્યો છે તેનું વર્ણન આ રીતે મળે છે:

ભડકું જમ્યા પછી મહારાજ દરબારમાં પધાર્યા. પૂર્વાભિમુખના ઓરડાની ઓસરીમાં બિરાજ્યા. એટલામાં એક બાઈ માથે ઘીનો ઘાડવો લઈને આવી. તેઓને જોઈ મહારાજે કહ્યું, “ઓહો! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરવાળાં ને?” પછી પૂછ્યું, “ભગત મઝામાં તો છે ને?”

ત્યારે બાઈ બોલ્યાં, “મહારાજ! ભગત તો આપની દયાથી સુખી હતા અને વળી વધુ સુખિયા થયા છે. દીકરો જુવાન હતો તેને આપની દયાથી નિરાવરણ દૃષ્ટિ હતી. એટલે આપનાં દર્શન નિત્યે થતાં. રોજ આપની લીલાની વાતો પણ કરતો. એટલે ભગતને થયું કે જો એ સંસારની બેડીમાં બંધાશે તો તે આપનું સુખ લેતો આળસી જશે. એટલે ભગતે સંકલ્પ કર્યો કે તે આપના ધામમાં અખંડ આપની મૂર્તિનું સુખ લ્યે. ભગતના સંકલ્પે આપે તેને ધામમાં બેસારી દીધો એટલે હવે અમારેય વહેવારની ઉપાધિ મટી અને હવે સુખે ભજન થાશે. દીકરો ધામમાં ગયો એટલે તેની ક્રિયા કરી ભગત ખેતરે રહેવા ગયા અને મને અહીં આપની પાસે આ ઘાડવો લઈને મોકલી, એટલે કોઈ ઘરે રડવા-કરવા આવે નહીં.”

મહારાજ મંદમંદ હસતાં હસતાં બાઈના આ બોલ સાંભળતા હતા. પછી ઘીના ઘાડવા પર હાથ રાખીને મહારાજે કહ્યું, “આ ઘાડવો હમણાં રાખી મૂકો, આપણે હીરાબાનો શોક ઉતારીએ પછી આનો ઉપયોગ કરજો.” જીવુબા, લાડુબા, પાંચુબા બધાં જ મહારાજના શબ્દોનો મર્મ સમજી ગયાં.

પછી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં પધાર્યા અને સંતોને વિગતવાર આ બધી જ વાત કરી. નેનપુરના દેવજી ભગતની આ વાત સાંભળી નિષ્કુળાનંદ સ્વામી પણ બોલ્યા, “મહારાજ! એક વાર અમે કૃપાનંદ સ્વામી સાથે નેનપુર ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ અર્ધી રાત સુધી કથા કરી એટલે અમારી આંખ ઘેરાવા લાગી. તેથી મેં દેવજી ભગતને કહ્યું, ‘તમે હવે થાક્યા હશો માટે આરામ કરો.’

“ત્યારે દેવજી ભગતે કહ્યું, ‘સ્વામી! હું તો અહીંથી ખેતરે જઈશ. ત્યાં જઈને ત્રણસો માળા ફેરવીશ. પછી નીંદર સામે આવીને ઊભી રહેશે અને પૂછશે, “આવું?” એટલે હું કહીશ, “ભલે, આવ હવે!” પછી સૂઈ જઈશ, પણ આપ લાંબો પંથ કરીને આવ્યા છો તે થાક્યા હશો. માટે પોઢી જાઓ.’”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૮૧]

આ રીતે દેવજી ભગતની વિદેહી સ્થિતિ જોઈ સભામાં બેઠેલા સૌને જરૂર આશ્ચર્ય થયું હશે! એકનો એક યુવાન દીકરો ધામમાં જાય એવી ઇચ્છા પિતા દ્વારા કરવામાં આવે એ તે કેવો વૈરાગ્ય! નિદ્રાજિત સ્થિતિમાં વર્તવું એ તે કેવી દેહાતીત દશા! આવા વિચારો દેવજી ભગતનું વૃત્તાંત સાંભળ્યા પછી જરૂર સૌને આવ્યા હશે અને આવી વિચારમય સ્થિતિમાંથી જ મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન પૂછ્યો હશે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ શાં?”

શ્રીજીમહારાજે પણ આ પ્રશ્નનો ઉત્તર એક ગૃહસ્થાશ્રમી જનક રાજાના દૃષ્ટાંતથી આપ્યો છે. કારણ કે પ્રશ્ન પૂછનાર મયારામ પણ ગૃહસ્થ છે અને જેની આધ્યાત્મિક સ્થિતિ જોઈ પ્રશ્ન પુછાયો છે તે દેવજી ભગત અને તેઓનાં ધર્મપત્ની પણ ગૃહસ્થ છે. અન્યથા મયારામ ભટ્ટ જેવો જ પ્રશ્ન ભજનાનંદ સ્વામીએ વચનામૃત લોયા ૧માં શ્રીજીમહારાજને પૂછ્યો, “હે મહારાજ! કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ વૈરાગ્યનું શું રૂપ છે?” ત્યારે ત્યાગી તરફથી પ્રશ્ન પૂછાયેલ હોવાથી શ્રીજીમહારાજે તે વચનામૃતમાં ત્યાગીઓને અનુલક્ષીને ઉત્તર આપ્યો છે.

Vachanāmrut Gadhadā I-2 took place the very next day after the first Vachanāmrut. The details of this day are described below:

After eating bhadku, Mahārāj arrived at the east-facing rooms of the darbār. Incidentally, a woman carrying a pot of ghee arrived. Seeing her, Mahārāj said, “Oh! This looks like the wife of Devji Bhakta of Nenpur. You are the wife of Devji Bhakta aren’t you? Is Devji Bhakta well?”

She replied, “By your grace, Devji Bhakta is happy and is now happier. You had graciously blessed our young son with the vision of your murti wherever he looked. He spoke of your daily lilā every day. Bhagat [Devji] thought that if he gets involved in worldly life (by marriage), he will lose the bliss of Your murti. So Bhagat wished that You seat him in your Akshardhām where he can permanently attain the bliss of Your murti. Now that You fulfilled his wish, we are no longer troubled about marrying him and we can happily worship God. After performing our son’s final rites, Bhagat has gone to stay at the farm and sent me here with ghee so that no one will come to our house to grieve.”

While listening to Devji Bhakta’s wife’s story, Mahārāj was amusingly laughing. Mahārāj said, “Leave the ghee here for now. At the moment, let’s go end the grieving resulting from Hirābā’s passing away.” Jivubā, Lādubā, and Pānchubā all understood the purport of Mahārāj’s words.

Then, Mahārāj arrived at the verandah of Vāsudev Nārāyan Mandir and narrated the above incident. Hearing about Devji Bhakta, Nishkulānand Swāmi added, “Mahārāj, one time we went to Nenpur with Krupānand Swāmi. Gunātitānand Swāmi delivered discourses through half the night; so I said to Devji Bhakta, ‘Go rest as you must be tired.’

“Devji Bhakta replied, ‘Swāmi, after this discourse, I’ll go to my farm and chant 300 mālās. Sleep will come and stand before me and will ask, “May I come?” I’ll say, “Fine, come.” Then, I’ll fall asleep. However, you all have just arrived from a long journey so must be tired. You all rest now.’”

[Bhagwān Swāminārāyan – Part 4/181]

Listening to Devji Bhakta’s state of total detachment from the body, everyone must have been astounded. What degree of vairāgya must Devji Bhakta possess to wish his one and only son’s death? What type of state does he possess that he has conquered his sleep? These questions must have led Mayārām Bhatt to ask, “Mahārāj, please describe the characteristics of the highest, intermediate and lowest levels of vairāgya?”

Shriji Mahārāj answered the question from the perspective of a gruhasth since the question was asked by Mayārām Bhatt and the incident revolved around Devji Bhakta and his wife - all gruhasth devotees. Otherwise, a question similar to Mayārām Bhatt’s question has been asked by Bhajanānand Swāmi in Vachanāmrut Loyā 1: “Mahārāj, what are the characteristics of the three levels of vairāgya - the lowest, the intermediate and the highest?” To this, Mahārāj replied from the perspective of a renunciant.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase