॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૫: અવતાર ધર્યાના પ્રયોજનનું

ઇતિહાસ

વચનામૃત કારિયાણી ૫ સં. ૧૮૭૭ની દિવાળીના પૂર્વ દિવસનું વચનામૃત છે. આ વર્ષના દિવાળીના ઉત્સવે ગોપાળાનંદ સ્વામી પણ વડોદરાથી પધાર્યા હતા. તે વખતે તેઓ સાથે શ્રીજીમહારાજે કરેલી એક બેઠકનું (મીટિંગનું) વર્ણન આ રીતે પ્રાપ્ત થાય છે:

મહારાજે રતનજીને કહ્યું, “રતનજી! તમે જાઓ અને ગોપાળાનંદ સ્વામીને એકલાને બોલાવી લાવજો.”

થોડી વારે સ્વામી આવ્યા ત્યારે મહારાજે શુકમુનિને કહ્યું, “તમે બહાર જાઓ.” એટલે શુકમુનિ તરત જ ઊઠ્યા.

તે વખતે નિષ્કુળાનંદ સ્વામી દાડિયા પાસે ચોકડી અને કૂંડી ટિપાવતા હતા. તેમને લાગ્યું કે સ્વામીને ખાસ બોલાવીને મહારાજ વાત કરવા માગે છે એટલે કંઈક રહસ્યની વાત હશે. તેથી તે એકદમ કામ પડતું મૂકીને ઓરડીમાં આવી ગયા. તેમને જોઈને મહારાજે કહ્યું, “સ્વામી! તમે દાડિયા ઉપર નજર રાખો, નહીં તો કામ બરાબર થશે નહીં.” એટલે નિષ્કુળાનંદ સ્વામી ઊઠ્યા અને બંદોબસ્ત કરીને પાછા આવ્યા. ત્યારે મહારાજે ફરી કહ્યું, “સ્વામી! જાતે દેખરેખ વગર કામ બરોબર થાય નહીં. માટે ઊઠો અને કામ બરાબર કરાવો.”

નિષ્કુળાનંદ સ્વામી સમજી ગયા. મહારાજે બારણું બંધ કરાવ્યું. પછી તેઓએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! અમે અક્ષરધામમાંથી અમારું અક્ષરધામ અને તમો બધા મુક્તોને લઈને અહીં આવ્યા છીએ તેનો હેતુ જાણો છો?” પછી શ્રીજીમહારાજે કહ્યું, “સાંભળો, અમે છ હેતુ લઈને પૃથ્વી ઉપર આવ્યા છીએ. તે તમને આજે કહેવા માટે બોલાવ્યા છે.” આમ કહી શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન ગોપાળાનંદ સ્વામીને જણાવેલું.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૩૨]

ઉપરોક્ત પ્રસંગના વર્ણન બાદ તરત જ, વચ્ચે એક પણ અન્ય વાક્ય સિવાય સીધું જ સં. ૧૮૭૭ના કારિયાણીના દીપોત્સવનું વર્ણન શરૂ થાય છે. એટલે કે શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન જણાવ્યું તે દિવાળીનો પૂર્વદિન – એટલે કે આ વચનામૃતના ઉદ્‌બોધનનો – સં. ૧૮૭૭, આસો વદિ ચૌદશનો હોવો જોઈએ. આમ, વચનામૃત કારિયાણી ૫ની પ્રસ્તાવના સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે શ્રીજીમહારાજે કરેલી ગોષ્ઠિમાં સમાયેલી છે. વચનામૃત કારિયાણી ૫નું મૂળ તે વાર્તાલાપમાં નિહિત થયેલું દેખાય છે.

Kāriyāni 5 took place the day before Diwali of Samvat 1877. Gopālānand Swāmi had come from Vadodarā for the Diwali utsav this year. A significantly well-known meeting between Shriji Mahārāj and Gopālānand Swāmi that takes place this day is as follows:

Mahārāj asked Ratanji to call Gopālānand Swāmi alone. When Gopālānand Swāmi arrived, He asked Shukmuni to leave the room. Meanwhile, Nishkulānand Swāmi, who was overseeing some construction work, overheard and thought that Mahārāj may be delivering some important talks secretly. He left the work and entered Mahārāj’s ordi but Mahārāj sent him back to oversee the construction work for fear that they may not do the work properly. Nishkulānand Swāmi went back, gave the workers clear instructions and came back to Mahārāj’s ordi. Mahārāj again told Nishkulānand Swāmi, “Swāmi, without overseeing them, they won’t do the work properly. Therefore, go and supervise them.”

Nishkulānand Swāmi was convinced that Mahārāj is sharing something very important, so he listened from the crack of the door while Mahārāj and Gopālānand Swāmi conversed. Mahārāj said to Gopaland Swāmi, “Do you know the purpose of My manifestation from Akshardhām along with aksharmuktas such as yourself? Listen, I have come on this earth with six purposes and have called you here to tell you…” In this way, Mahārāj told Gopālānand Swāmi God’s purpose for assuming an avatār (the title of this Vachanāmrut).

[Bhagwān Swāminārāyan – Part 4/232]

Following the above account, without any gap, the description of Diwali celebration of Samvat 1877 begins. Therefore, Mahārāj sharing His purpose of assuming an avatār occurred the day prior to the Diwali of 1877 – Āso vad 14. So, the preface to Kāriyāni 5 is the dialog between Shriji Mahārāj and Gopālānand Swāmi, although this dialog is not mentioned in the Vachanāmrut itself.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase