॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૫: શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું

નિરૂપણ

તા. ૧૨/૬/૧૯૬૨, મુંબઈ. મંગળ પ્રવચનમાં વચનામૃત ગઢડા અંત્ય ૨૫ વંચાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ બધાં છેલ્લી શિખામણનાં વચનામૃત છે. પછી મહારાજ ધામમાં જતી વખતે છેલ્લી શિખામણ આપે છે કે ભગવાન ને ભક્તોનો મહિમા સમજો, દિવ્યભાવ રાખો, તો કેફ વર્તશે અને અનુભવમાં મુકાશે. ખપ છે, પણ મહિમાની ખામી છે તેથી મન સોંપાતું નથી. બીક રાખે, ‘અમને બાવા કરશે તો?’ સાધુને ક્યાં લઈ લેવું છે? પણ એવી બીક રહે. સાધુ ગામ આવ્યા હોય તો, ‘ફંડફાળા સારુ આવ્યા લાગે છે’ એમ ધ્રાસ્કો પાડે; પણ જેણે તન, મન, ધન અર્પણ કર્યું હોય, તેને શી બીક હોય? સર્વસ્વ ભગવાનનું જ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૭]

June 12, 1962. Mumbai. During the morning discourse, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā III-25 read and said, “These last Vachanāmruts are Mahārāj’s final teachings. Mahārāj is giving his final advice - understand the greatness of God and his devotees. Then one will remain ecstatic and experience bliss. We have self-interest in liberation but we do not understand the greatness; therefore, we are unable to surrender our mind. We fear: what if he asks us to become a sadhu? But the Sadhu does not want to take anything from us, yet we still fear. If sadhus come to our village, we are struck with fear: they must have come to ask us for money. However, whoever has surrendered their body, mind, and wealth fears nothing. Everything belongs to God.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/357]

નિરૂપણ

તા. ૨૧/૧/૧૯૬૪, મુંબઈ. બપોરે વચનામૃત ગઢડા અંત્ય ૨૫ વંચાવી યોગીજી મહારાજ કહે, “ખરો હરિભક્ત કયો જાણવો? દીર્ઘ રોગ આવી પડે, પહેરવાં વસ્ત્ર ન મળે, તો પણ મોળો પડી જાય એમ આવ્યું ને? ના, રતિવા સરસ થાય, પણ રંચમાત્ર મોળો ન પડે! બાપાએ કો’કના સારુ આ વેણ લખ્યાં હશે, ખરું? મહારાજ છતાં સંતો-હરિભક્તો હતા એના માટે આ વેણ છે. અત્યારે આપણે લેવા-દેવા નથી, એમ ને? ના, તે દી’ ને આજે આપણે માટે સરખું છે. દીર્ઘ રોગ આવી પડે, બીજા સારા ફરે ને આપણે માંદા પડીએ; બીજા કુસંગીઓ ખાય-પીએ ને લહેર કરે, ને આપણે માળું ઘરમાં દાણો ન પણ મળે અને ખાવા અન્ન ન મળે, વસ્ત્ર ન મળે, તો પણ રતિવા સરસ થાય. રંચમાત્ર મોળો ન પડે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૪]

January 21, 1964. Mumbai. In the afternoon, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā III-25 read and said, “Who is a genuine devotee? One who falls back if he has a grave illness? Or one who does not have clothes to wear? That is what Mahārāj said, right? No! One who becomes even better in these hardships and never falls back. Mahārāj said these words for some other people, correct? These words are for the sadhus and devotees who were there. Does that mean we have nothing to do with these words? No, during Mahārāj’s time and today, it is the same. Others walk without any health problems and we become sick; other kusangis eat freely and enjoy their life and we have no grains in our house, no clothes. Yet, a genuine devotee becomes even better and never falls back even slightly from Satsang.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/584]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase