॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૧: સીતાજીના જેવી સમજણનું

પ્રસંગ

સં. ૧૯૪૬, ભાદરોડ. એક દિવસ સાધુ નારાયણચરણદાસજી તથા યજ્ઞપુરુષદાસજી બંને તલગાજરડા ઝોળી માગવા ગયા. ઝોળી માગીને એક જગ્યાએ બેઠા હતા ત્યાં ગામના પટેલ આવ્યા. તેને યજ્ઞપુરુષદાસજીએ વાતો કરી. તેને બહુ ગુણ આવ્યો અને આ સાધુને જોઈને બોલ્યા, “અહો! આવા હાથીની અંબાડીએ બેસે એવાને રખડવું પડે છે એ પ્રાગજીનું કર્તવ્ય છે.”

એટલે યજ્ઞપુરુષદાસજી કહે, “અમને તો ભગતજીએ ઘણો ઉપદેશ કરીને સત્સંગમાં મળતું રહે એમ શીખવ્યું છે. અમે કોઈનું માનતા નહીં. અમે તો અમારા અલમસ્ત કેફમાં ધર્મામૃત, ચોસઠ પદી આદિ ગ્રંથો વાંચતા અને સાધુનાં લક્ષણોનાં કીર્તનો છડેચોક બોલતાં. આથી બીજા કોઈને ફાવતું નહીં. એટલે ભગતજીએ અમને નિર્માની કર્યા. વળી, અમને તો ગુજરાતના હરિભક્તો બહુ માને છે, પણ ત્યાં સૌ સાધુને ફાવતું નથી અને ક્લેશ થાય છે. એટલા માટે ભગતજીએ અમને અહીં રાખ્યા છે. અને જ્ઞાનોપદેશ કરે છે, નહીં તો અમારા જીવનું બહુ જ ભૂંડું થાત અને સત્સંગમાં સામાવડિયા થાત; પણ ભગતજીના સંગથી જ પાંસરું રહ્યું છે.”

આ વાત સાંભળી પટેલ બોલ્યા, “એમ વાત છે? અમને તો ભગતજીના વિરુદ્ધ ઊલટું ભરાવ્યું હતું, પણ તમારી વાતોથી પ્રાગજી ભગતનો મને ઘણો ગુણ આવ્યો છે.” એમ કહી ઝોળીમાં દસ શેર ચોખા નાખ્યા.

આ વાત નારાયણચરણદાસે ભગતજીને કહી. એટલે ભગતજી બહુ જ રાજી થયા અને બધાને કહ્યું, “તમો પણ જેને જેને વાત કરો તેને પોતાના ગુણની વાત ન કરવી, પણ પોતાનો દોષ દેખાડવો અને મોટાનો ગુણ કહેવો અને સીતાજીના જેવી સમજણ શીખવી.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૨૬]

Samvat 1946. Bhādrod. One day, Sadhu Yagnapurushdāsji and Nārāyancharandāsji went to Talgājardā to beg for alms (jholi). Afterwards, they sat at a spot where the Patel of the village arrived. Yagnapurushdāsji spoke to him. The Patel was impressed and said, “Wow! The sadhus who are worthy of being honored on an elephant have to wonder around begging for alms. This is Prāgji’s doing.”

Yagnapurushdāsji replied, “Actually, Bhagatji preached to us extensively and taught us the ways to conform with satsang. We were preaching on the Dharmāmrut and singing verses from the Chosath Padi and other scriptures freely. Others did not like our behaviour. So Bhagatji made us humble. Moreover, the devotees of Gujarat are attached to us but the other sadhus do not approve and cause discord. Therefore, Bhagatji kept us here and preaches to us; otherwise something detrimental would happen to our jiva and the whole satsang would have opposed us. However, only because of Bhagatji’s company, everything is fine.”

Hearing this, the Patel said, “Is that so? I have heard talks against Bhagatji, but now I understand how virtuous he is.” He then gave the sadhus 5 kg of rice in their jholi.

Sadhu Nārāyancharandās told Bhagatji this incident. He was immensely pleased. He said, “Whenever all of you speak to others, do not speak of your own virtues; instead, speak of your own faults and the virtues of the great [Satpurush] and learn the understanding like that of Sitāji.”

[Brahmaswarup Shāstriji Mahārāj: 1/126]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase