॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું

પ્રસંગ

યોગી સ્મૃતિમંદિરના ખાતવિધિની સાંજે ગુણાતીત જન્મોત્સવ પણ ધામધૂમથી ઊજવાયો. તે સમયે અક્ષર મંદિરના ચોકમાં પૂર્વ દિશા તરફ ઠાકોરજીને પધરાવેલા. પાંચ આરતીનાં અર્ઘ્ય, કીર્તન-સંવાદોની પ્રસ્તુતિ, દૂધ-પૌંઆના પ્રસાદ અને સ્વામીશ્રીના આશીર્વાદને માણતી દસ હજારની ભક્તમેદનીએ આ ઉત્સવની દિવ્યતા માણીને એક જ અનુભવ ઉચ્ચાર્યો કે: “યોગીબાપા ગયા જ નથી.”

આ અનુભવ વિશેષ દૃઢ કરાવતાં, સ્વામીશ્રી તા. ૭/૧૦ની સવારે ગોંડલથી ઘોઘાવદર પહોંચ્યા. અહીં તેઓએ મંદિરમાં મૂર્તિઓની પુનઃપ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ગામમાં વીસેક પધરામણીઓનો લાભ આપી ગુણાતીતાનંદ સ્વામીએ જ્યાં પાંચ વચનામૃતો વંચાવેલાં તે પ્રાસાદિક જગ્યાએ દર્શનાર્થે પધાર્યા.

ઘોઘાવદરથી બંધિયા પહોંચેલા સ્વામીશ્રીએ અહીં પણ પ્રાસાદિક વડ, વાવ, ડોસા વાણિયાનું ઘર, માઢ, મેડી, દુકાન વગેરેનાં દર્શન કરીને ગામના મંદિરમાં આરતી કરી. ત્યારબાદ અડધો કલાક સુધી સૌને કથાલાભ આપીને રાત્રે સાડા આઠ વાગ્યે ગોંડલ પધારી ગયા.

વચનામૃત ગઢડા પ્રથમ ત્રેવીસ, ગઢડા મધ્યનું ત્રીસ, ગઢડા મધ્ય પિસ્તાલીસ, અમદાવાદ ૨, અને તઅમદાવાદ ૩. જુઓ સ્વામીની વાત ૩/૧૩

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૬૪]

After the ground-breaking ceremony of Yogi Smruti Mandir, the birth of Gunatitanand Swami was celebrated the same night. After serving everyone dudh-pauva (milk and rice), Swamishri said in his blessings to 10,000 devotees present, “Yogi Bapa has not left.”

On October 7, 1971, Swamishri went to Ghoghavadar from Gondal. He installed the murtis here. After blessing about 20 devotees homes, he went for the darshan of the spot where Gunatitanand Swami had the five important Vachanamruts read.

Gadhada I-23, Gadhada II-30, Gadhada II-45, Ahmedabad-2 and Ahmedabad-3. See Swamini Vat 3/13

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/64]

મહિમા

ઘોઘાવદરમાં જાગા ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૨૩, વચનામૃત ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને વચનામૃત અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.

પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”

[સ્વામીની વાતો: ૩/૧૩]

In Ghoghāvadar, Jāgā Bhakta read five Vachanāmruts: Gadhadā I-23, Gadhadā II-30, Gadhadā II-45, Amdāvād-2 and Amdāvād-3. Extremely pleased with his selection of Vachanāmruts, Gunātitānand Swāmi said, “Oh, ho! It’s like I had never heard these Vachanāmruts. Please read them again.” Jaga Bhakta read them again.

Gunātitānand Swāmi then said, “Listening to these Vachanāmruts, it is clear that without imbibing these principles in our lives, no liberation is possible in infinite years. This is true not only for us, but one may be an āchārya, or the son of God, or an ishwar, or some minor or major god, but liberation is impossible without imbibing these principles. Why? Because this is also Mahārāj’s principle (to become brahmarup by associating with Aksharbrahma and worship Parabrahma).”

[Swāmini Vāto: 3/13]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase