॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૦: આત્મદૃષ્ટિ-બાહ્યદૃષ્ટિનું, પાંચ ખાસડાંનું

પ્રસંગ

પ્રસંગ ૪

તા. ૧૬/૧૨/૧૯૬૯, ગોંડલ. સભામાં સારંગપુરનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. અંતર્દૃષ્ટિ અને બાહ્યદૃષ્ટિ ઉપર અર્જુનભાઈ ચાવડા વાત કરતા હતા. તાત્ત્વિક વાતો ચાલતી હતી. તેઓ બોલી રહ્યા પછી યોગીજી મહારાજે અંબાલાલભાઈ (અમદાવાદવાળા)ને કહ્યું, “તમે ગુજરાતીમાં બોલો, આ કાકા સંસ્કૃતમાં બોલ્યા.”

અંબાલાલભાઈ સ્વામીશ્રીનો અભિપ્રાય સમજી ગયા અને તેમણે વચનામૃતના ભાવાર્થમાં, તેમની સાદી સરળ ભાષામાં પ્રગટ સંતનો મહિમા સમજાવ્યો.

વચનામૃતમાં આગળ શબ્દો આવ્યા, “એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.” એટલે સ્વામીશ્રીએ ફરીથી અંબાલાલભાઈને આજ્ઞા કરી, “આ ગુજરાતીમાં સમજાવો.”

“બાપાનાં દર્શને સાક્ષાત્ ભગવાનનું દર્શન થયું.” એ ભાવાર્થ ફરીથી અંબાલાલભાઈએ તેમની સરળ ભાષામાં સમજાવ્યો.

આ વાતને સમર્થન આપતા હોય એમ સ્વામીશ્રી બોલ્યા, “એવા સંત એકાંતિક જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટ છે. સંતો ઘણા છે. એકાંતિક સંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ હોય. એની વાત છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૪૯૭]

Prasang 4

December 12, 1969, Gondal. In sabhā, Arjunbhāi Chāvadā was speaking on antardrashti (the ātmā’s perspective) and bāhyadrashti (the physical perspective) from Sārangpur 10. His explanation delved deep. After he finished, Yogiji Mahārāj asked Ambālālbhāi of Amdāvād, “Arjun Kaka spoke in Sanskrut. Now you speak in Gujarati.”

Ambālālbhāi understood Yogiji Mahārāj’s intent and explained the essence of the Vachanāmrut in a simple and easy to understand language.

The words: “When one has the darshan of such a Sant, one should realise, ‘I have had the darshan of Bhagwān himself’ were read aloud. Yogiji Mahārāj again asked Ambālālbhāi to explain that in Gujarati.

Ambālālbhāi simply said, “Bapa’s darshan is equivalent of Bhagwān’s darshan.”

Approvingly, Swāmi said, “Wherever the Ekāntik Sant is present, Bhagwān is also present there. There are many sadhus; but the Ekāntik Sant is only in the Swāminārāyan Sampradāy. This point is about that Sant.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/497]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase