॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૪: સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું

મહિમા

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ, બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૮]

30 June 1968, Gondal. After having Vachanāmrut Gadhadā II-54 read during the afternoon discourse, Yogiji Mahārāj said, “If many Vachanāmruts are or are not perfected, but if this particular Vachanāmrut is perfected, then it is enough.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/158]

નિરૂપણ

મે ૧૯૫૪, ગોંડલ, અક્ષરદેરીમાં વચનામૃત ગઢડા મધ્ય ૫૧, ૫૩, ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “આ જીવ પોતે પોતાને જોઈ શકતો નથી કે ‘હું કેવો છું?’ એવો અજ્ઞાની છે. છતાં મોટા સત્પુરુષની ક્રિયામાં ખોટ કાઢે છે. તે મૂર્ખ શિરોમણિ છે. માટે સત્પુરુષની રજેરજ જેવી ક્રિયામાં અખંડ દિવ્યભાવ અને નિર્દોષભાવ રાખવો. આવો ભાવ સત્પુરુષને વિષે જો આત્મબુદ્ધિ થાય તો જ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૪૯૦]

May 1954, Gondal. At the Akshar Deri, Yogiji Mahārāj had Vachanāmruts Gadhadā II-51, II-53 and II-54 read and said, “The jiva is not able to look at itself and think, ‘What am I like?’ It is ignorant in this way. Yet, it still finds faults in the actions of the Motā-Purush. It is the king of fools. Therefore, keep divyabhāv and nirdoshbhāv in even the most trivial of Satpurush’s actions. Such understanding is only possible if one develops ātmabuddhi towards the Satpurush.”

[Brahmaswarup Yogiji Mahārāj: 1/490]

નિરૂપણ

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “આત્મબુદ્ધિ શું? પોતાનું ખાવાનું ભક્તને દઈ દે. જે વચન કહે તે ટૂક ટૂક થઈને પાળે. આત્મબુદ્ધિ થઈ હોય તો બળ રહે. કેફ રહે. વચન પળે. ખાધું હોય તો ભૂખ જાય કે ન જાય? આ મધ્યનું ૫૪ તેને માટે છે. એવી આત્મબુદ્ધિ ન હોય તો ગધેડો ને આખલો કીધો. એમ કોઈને કહે તો રીસ ચડે. મંદિરે ન આવે. પણ ભાગવતમાં કહ્યું છે. ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું. ઘોડેસવાર ત્રણ ઠેકાણે વૃત્તિ રાખે છે. તેમ આપણે ઘઉં વીણવામાં વૃત્તિ રાખવી. કથા સાંભળવી અને કાંકરા કાઢવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૨૦]

June 30, 1968, Gondal. During the afternoon discourse, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā II-54 read and said, “What is ātmabuddhi? To give a devotee of God your food. To eagerly follow any command that he gives. If one has ātmabuddhi, then he gains strength. One remains elated. His commands are followed. If you eat, does hunger go or remain?

“This Vachanāmrut Gadhadā II-54 relates to that. If one does not have such ātmabuddhi, one would be called a donkey or a bullock. If called that, he would be offended and would stop coming to the mandir. However, that is written in the [Shrimad] Bhāgwat. Other Vachanāmruts may be mastered or not, but if this one is, then that is sufficient. A horse rider keeps his focus on three things. Similarly, we should keep our focus on removing grains of sand from wheat. Listen to discourses and remove these grains of sand.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/120]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase