॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૪: મનુષ્યભાવમાં દિવ્યભાવનું

પ્રસંગ

પ્રસંગ ૨

સં. ૧૯૮૯માં બોચાસણનો સમૈયો કરી શાસ્ત્રીજી મહારાજ હરમાનભાઈના આગ્રહથી ગાના ગામે પધાર્યા હતા. મગનભાઈ નરસિંહભાઈ પટેલ પણ સાથે હતા. અત્રે બે દિવસ રોકાઈ આ બન્ને હરિભક્તો સાથે શાસ્ત્રીજી મહારાજ રાસ ગામે પધારેલા. આ ગામમાં સ્વામી ચાર દિવસ રોકાયેલા. તે દરમ્યાન એક સવારે આ બન્ને હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના દર્શને આવ્યા. શાસ્ત્રીજી મહારાજે તેઓને હસતાં હસતાં પૂછ્યું, “રાત્રે બન્નેએ શી શી વાતો કરી હતી?”

આ બન્નેને આશ્ચર્ય થયું, “રાત્રે આપણે બે વાગ્યા સુધી વાતો કરી તે આ શાસ્ત્રીજી મહારાજે શી રીતે જાણ્યું?”

પરંતુ પોતે જે વાતો કરી હતી તે સંબંધી શાસ્ત્રીજી મહારાજને કાંઈ જણાવવું નહીં અને શાસ્ત્રીજી મહારાજ સ્વયં જો તે વાત કહી દે તો તેમના દ્વારા શ્રીજીમહારાજ પ્રગટ છે તે નિશ્ચય તેમને દૃઢ થાય.

ત્યારે શાસ્ત્રીજી મહારાજ સ્નેહસૂચક દૃષ્ટિ કરી બોલ્યા, “ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપના નિર્ણય બાબતમાં જે તમોને શંકા રહે છે તે આજે કાઢવી છે.” એમ કહી શાસ્ત્રીજી મહારાજે વચનામૃતનો ચોપડો મંગાવ્યો અને આ વચનામૃત પંચાળા ૪ વંચાવી વાતો કરતાં કહેલું, “ભગવાન અને સંતની રીત સદા એકસરખી જ હોય છે. તેમને ઓળખીને તેમને વિષે જોડાઈ જવું એ જ કલ્યાણનું અસાધારણ સાધન છે.”

આ રીતે આ બંને ભક્તોને વચનામૃત પંચાળા ૪ સમજાવીને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની દૃઢ નિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૬૩૫]

Prasang 2

After celebrating a samaiyo in Bochāsan in Samvat 1989, Shāstriji Mahārāj graced Gānā upon Harmānbhāi’s request. Maganbhāi Narsinhabhāi Patel was with Shāstriji Mahārāj. After two days, Shāstriji Mahārāj went to Rās with Harmānbhāi and Maganbhāi and spent four days there. One morning, the two came for Shāstriji Mahārāj’s darshan. Shāstriji Mahārāj laughed and asked, “What did you two talk about at night?”

The two were astonished to hear this question because they had talked till 2am and had decided not to tell Shāstriji Mahārāj about their conversation. If Shāstriji Mahārāj tells us what we talked about, then they could solidify the belief that Shriji Mahārāj is manifest through Shāstriji Mahārāj.

Shāstriji Mahārāj gave a suggestive look and said, “Today, I want to rid you of the doubts that you have remaining in recognizing the manifest form of Bhagwān.”

He asked for the Vachanāmrut and had Panchālā 4 read, “The ways of Bhagwān and Sant are the same. Recognizing them and attaching one’s self to them is the extraordinary means to liberation.”

In this way, Shāstriji Mahārāj solidified their conviction in the manifest form of Bhagwān.

[Brahmaswarup Shāstriji Mahārāj: 1/635]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase