વચનામૃત પ્રસંગ

સારંગપુર ૫

સં. ૧૯૬૬, સારંગપુર. જળઝીલણીના સમૈયાના બીજા દિવસે બારસનાં પારણાં કરતાં શાસ્ત્રીજી મહારાજ પોતાના પત્તરમાંથી પ્રસાદી આપતા હતા. તે વખતે સંતવલ્લભદાસ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો, “સ્વામી બાપા! એક તલના અર્ધા દાણાની પ્રસાદીમાંથી ૮૪ વૈષ્ણવ થયા. વળી, ભગતજી મહારાજને સ્વામીએ ધાણીના ગાંગડાની પ્રસાદી આપી ત્યારે ભગતજી મહારાજે સ્વામીને પૂછ્યું, ‘ખરા રાજીપાની છે કે સર્વને આપી એવી છે?’ ત્યારે સ્વામીએ કહ્યું, ‘ખરા રાજીપાની છે.’ પછી ભગતજીએ પૂછ્યું, ‘સ્વામી! મારા કામ, ક્રોધ, લોભ, સ્વાદ અને માન બળી ગયા?’ એમ ગાંગડા મુખમાં મૂકતા જાય ને પૂછતા જાય. સ્વામીએ કહ્યું, ‘હા, બળી ગયા.’ તેમ આજે તો પત્તર ભરી ભરીને પ્રસાદી આપો છો તો પણ દોષ કેમ ટળતા નથી?” ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “એ તો લેનારની અને આપનારની ભાવના ઉપર ફળ મળે છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૬૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ