વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૩૧

નડિયાદમાં શાસ્ત્રીજી મહારાજે દોલતરામ પંડ્યાને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાની વાત કરી ત્યારે તેમણે પૂછ્યું, “સ્વામી! આપે આજે મારી અણસમજણ દૂર કરી. અક્ષર અને પુરુષોત્તમ એ જ સ્વામી અને નારાયણ એ વાત તો હવે મારા અંતરમાં ઠસી ગઈ, પરંતુ એ ‘અક્ષર’ એ જ ગુણાતીતાનંદ સ્વામી છે, તે વાત મને સમજાવો.”

ગુણાતીતાનંદ સ્વામી એ જ ‘અક્ષર’ છે, તે સમજાવતાં શાસ્ત્રીજી મહારાજે શ્રીજીમહારાજના પ્રસંગો કહ્યા.

પછી તેઓ બોલ્યા, “શ્રીજીમહારાજે કહ્યું છે કે મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. માટે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બંનેની વાતોનાં પુસ્તકો તમે વાંચી જુઓ અને જેમાં મહારાજનું સર્વોપરીપણું અને મોટપના શબ્દો વધારે આવે તે મોટા.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૧૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ