॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શ્રીદામા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શ્રીદામા ગોલોકવાસી કૃષ્ણ ભગવાનના પાર્ષદ છે. ગોલોકમાં એક વાર શ્રીકૃષ્ણ વિરજા નામની ગોપી સાથે વિહાર કરવા માટે વિરજાના મહેલ પર ગયા. આ વાતની રાધાજીને ખબર પડતાં રાધાજી ક્રોધિત થયાં અને વિરજાના મહેલે કૃષ્ણ સાથે લડવા ગયાં. અહીં શ્રીકૃષ્ણ દરવાજા પર શ્રીદામાને બેસારીને કોઈને પણ અંદરા ન આવવા દેવા ફરમાન કર્યું. તે સમયે રાધાજી ત્યાં ગયાં, પરંતુ તેમને શ્રીદામાએ અંદર જવા ના પાડી તેથી ગુસ્સે થયાં અને શ્રીદામાનો તિરસ્કાર કર્યો. શ્રીદામાથી આ સહન ન થયું. રાધાએ શાપ આપ્યો, જેથી તેઓ બીજા જન્મે ‘શંખચૂડ’ નામે રાક્ષસ થયા. અને શ્રીદામાએ રાધાને શાપ આપ્યો, આથી તેઓ ગુર્જરને ત્યાં જન્મ્યાં અને ૧૦૦ વર્ષ કૃષ્ણનો વિયોગ થયો.

Shridāmā

People in Shastras

Shridāmā is a pārshad of Krishna Bhagwān in Golok. Once, Krishna was spending time with a gopi named Virajā in her palace. Rādhāji found out and she became angry. She went to quarrel with Krishna. Krishna had set Shridāmā to guard the palace and let no one enter. When Rādhā arrived, she was denied entry, so she cursed Shridāmā that he would be born as a demon named Shankhchud. Shridāmā also cursed Rādhā and she was born to a gurjar family and bore the separation from Krishna for 100 years.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૨૬

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase