વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૭૬

ડિસેમ્બર ૧૯૬૪, નડિયાદ. અહીં કથા પ્રસંગમાં ગ. પ્ર. ૭૬ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું, “વચનનો ભીડો ખમે તે પાકો હરિભક્ત. પંચ વર્તમાન પાળે છે તેને ઝપાટામાં લીધો. ન પાળે તેને કહેતા નથી. ધાર્યું ન થવા દે. અપવાસ ન કરવો હોય તોય કરાવે. ધર્માદો વધારે લે. ઊંઘવું હોય તો ઊંઘવા ન દે. એવું થાશે. એમ જાણ્યું હોય તો મૂંઝવણ ન થાય. આ તો આઘુંપાછું થાય તો જય સ્વામિનારાયણ!

“પછી ‘માથે હાથ મૂકો, આશીર્વાદ દ્યો,’ એમ ન કહેવું પડે. સહેજે જ હેત થાય. સંબંધવાળા હરિભગતનો ભીડો તો વેઠવો જ. “ભીડો વેઠે નહિ ને આગળ બેસે. સહેજે કારસો આપ્યો હોય ને મન પાછું પડે. આ વાત સમજાણી હોય તો મન પાછું ન પડે. મોટાસ્વામીએ ભીડો વેઠ્યો તો છાતીએ પાણી છે.

“ભીડો એ જ ભક્તિ, એ જ માળા, એ જ ધ્યાન. ૫૦૦ માળાનો નિયમ કરે ને ભીડો વેઠે તે એક!”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૩/૭૦૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ