વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૨૨

એકડા વિનાનાં મીંડાંનો કોઈ સરવાળો મળતો નથી. તેમ સાધના માર્ગમાં ભગવાન એકડાની જગ્યાએ છે અને બીજા ગાન-વાદન-કીર્તન વગેરે તમામ સાધનો મીંડાંની જગ્યાએ છે. ભગવાનને આગળ રાખીને, તેમની સ્મૃતિ સહિત આ સાધનો કરવામાં આવે તો તેનું યથાર્થ ફળ મળે છે, પરંતુ તેમને વિસારીને જો કોઈ પણ સાધન કરવામાં આવે તો તેનું યથાર્થ ફળ મળતું નથી. આ વચનામૃતનો આ મુખ્ય મુદ્દો છે, જેને સંપાદક પરમહંસોએ અહીં શીર્ષકમાં જ ‘એકડા’ના સુંદર દૃષ્ટાંત દ્વારા સચોટ બનાવ્યો છે.

 

વચનામૃત ગ. પ્ર. ૨૨ નિરૂપતાં સ્વામીશ્રીએ કહ્યું, “ભગવાન કેમ સંભારવા? તો હું જમું છું તે ભેળા મહારાજ જમે છે. ભણતાં ભણે છે. ‘શું દૂધપાક!’ એમ સ્મૃતિ વગર જમે તો મહારાજ જમશે? ભાવથી ધરવો જોઈએ. મહારાજ ને સ્વામી બેઠા છે, એમ ધારી વાંચવું. ટેવ પાડવી જોઈએ. હાલતામાં મહારાજ-સ્વામી ભેળા હાલે છે. દેહભાવ નહિ, વૃત્તિ જોંટ (જોઇન્ટ) રાખવી જોઈએ. ભગતજીના શિષ્ય વિજ્ઞાનદાસ સ્વામી વૃત્તિ રાખતા. સંત સુખિયા. સ્ત્રી ને ધન હૈયામાંથી કાઢીએ તો સુખિયા. એ બે વસ્તુનો લોચો કાઢવો. મહારાજે કાઢ્યો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ