વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૧૨

શાસ્ત્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્ય ૧૨મું વચનામૃત વંચાવી, નિર્માનીપણે વર્તવાની અને હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાની વાત કરતાં કહ્યું, “સૌ સંત, પાર્ષદ અને હરિભક્તો, શ્રીજીમહારાજની આ સિદ્ધાંત વાત અંતરમાં ઉતારી લેજો. આ વચનામૃત સિદ્ધ નહીં થયું હોય, તો પાંચ વર્ષે, દસ વર્ષે કે પચાસ વર્ષે પણ ઘેર ગયા સિવાય રહેવાશે નહીં. વળી, જે કોઈ હરિભક્તને પણ આ વચનામૃત સિદ્ધ નહીં થયું હોય તો અંતે તેનો સત્સંગ રહેશે નહીં. માટે માન, દ્રોહ અને ઈર્ષ્યા – એ ત્રણ જીવની ઘાત કરનારાં છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૪]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ