વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૪૫

ઘોઘાવદરમાં જાગા ભક્તે ગઢડા પ્રથમ ૨૩, વચનામૃત ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને વચનામૃત અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.

પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું કે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”

[સ્વામીની વાતો: ૩/૧૩]

 

૧૮-૧-૬૪, મુંબઈ. બપોરની સભામાં યોગીજી મહારાજ કહે, “સત્પુરુષ કુરાજી ન થાય ને સદાય રાજી રહે તે માટે ગઢડા મધ્ય ૪૫ વચનામૃત વિચારવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૮]

 

તા. ૧૭/૧૧/૧૯૬૫, ગોંડલ. સવારે કથા ચાલતી હતી. યોગીજી મહારાજ ટપાલમાંથી એકદમ મુખ ઊંચું કરી કહે, “મધ્યનું પિસ્તાલીસમું વાંચો, આખી દુનિયા જિતાઈ જાય એવું છે. એકાવન ભૂત કાઢવાનું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૫૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ