અમૃત કળશ: ૭

માન

બીજા વિષય તો મુકાય પણ માન મુકાય તેવું નથી. તે ઉપર સૂકા હાડકાનું દૃષ્ટાંત દીધું કે તેને કીડી પણ ન ચડે, તેમ બ્રહ્મરૂપે વર્તે તો માન ન આવે. ને ગુણ હોય ને નિર્માની રહેવું એ તો બહુ જ કઠણ છે. તે પોલા પાણાના વચનામૃતમાં કહ્યું છે જે, માન ને ક્રોધ આવે ત્યારે બોલવા ન બોલવાનો વિચાર નથી રહેતો ને જે સર્વે કર્યું હોય તે બાળી મૂકે. ને અગીઆર કરોડ રૂદ્રે કામ બાળ્યો પણ ક્રોધે કરીને તો અરધા હોઠ કરડી ખાધા છે. માટે આપણામાં કોઈના ઉપર કરડી નજર ન થાય ને કોઈ ઉપર મત્સર ન આવે ત્યારે જ ભગવાન રાજી થાશે ને સાધુપણું આવશે. માટે અમને તો એમ જણાય છે જે, આવી વાતુમાંથી જીવ વૃદ્ધિ પામશે. તે કહ્યું છે જે, રહેશું દાસના દાસ થઈ, વૃજવાસજી. (૨૫)

૧. વચનામૃત ગઢડા પ્રથમ ૫૬

પ્રકરણ/વાત: ૧૦/૧૯૮

Vat Selection


Type: Keywords Exact phrase