ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૬

સ્વભાવ

... કૃપાનંદ સ્વામી કહેતા જે, “એક રહેણી, એક ભાવ, એક રુચિ ને એક ત્યાગ તે સારધાર નભવા બહુ કઠણ છે.” જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવા-ન બોલવાનો વિવેક ન રહે. માટે પોતામાં જે સ્વભાવ વસતા હોય તે દરવાજે ઊભા રહીને જોવા, પછી તે જેવી રીતે ટળે તેવો સંગ કરવો, શાસ્ત્ર વાંચવાં, તેવાં કીર્તન ગાવાં, તેવાં જ નિયમ વૃદ્ધિ પમાડવાં, તેવું જ શ્રવણ વધારવું ને તેવું જ મનન કરવું. તે સ્વભાવ કોઈને કામનો, કોઈને લોભનો, કોઈને સ્વાદનો, કોઈને માનનો, કોઈને વધુ બોલ્યાનો હોય એ બધા સ્વભાવ સમજીને ટાળે ત્યારે ટળે. માનનો સ્વભાવ હોય તો ‘મોહનને ગમવાને ઇચ્છો માનુની,’ એવાં નિર્માનીપણાનાં કીર્તન ગાવાં. ને સ્વાદનો સ્વભાવ હોય તો ‘જીભા જોને રે, જીભા જોને,’ એવાં કીર્તન ગાવાં. ને કામનો સ્વભાવ હોય તો ‘વાય વાય કુમતિ મતિ તારી,’ એવાં કીર્તન ગાવાં. જે જે જાતનો સ્વભાવ હોય તેને ટાળ્યાના ઉપાય જેમ કહ્યા હોય તેવાં કીર્તન શીખવાં ને ગાવાં, પણ શત્રુ બીજો પીડતો હોય ને કીર્તન બીજાં ગાય ત્યારે તે સ્વભાવ કેમ ટળે? (૩૨)

૧. સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન - કીર્તન મુક્તાવલી ૧/૪૨૪

પ્રકરણ/વાત: ૧૪/૮

Vat Selection


Type: Keywords Exact phrase