અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
“... સદ્ગુરુ વિના અંતઃકરણનો કજિયો જીતાય એવો નથી. સદ્ગુરુ વિના માયા લોપી નાખે.” લોયાનું દસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “ભગવાન સામા ચાલે ત્યારે એ જોઈ ઇંદ્રિયું, અંતઃકરણ જે વેરી હતાં તે જ વહાલાં થયાં છે ને તે વિના તો જ્યાંથી વાર આવે ત્યાંથી ધાડ આવે. તે શું જે, દેહ વડે, ઇંદ્રિયું વડે ભગવાન ભજાય તે જ દેહ વડે નર્કમાં જવાય...” (૨૬)
પ્રકરણ/વાત: ૧૨/૧૬૩