ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૩

સત્પુરુષ, ગુરુ

આપણા જીવનું શ્રેય થાય ને આપણા શત્રુ મોળા પડે તેનો શો ઉપાય? તે પ્રશ્ન છે. ત્યારે સ્વામી બેલ્યા જે, મોટા હોય ને જેણે પોતાના દોષને ટાળ્યા હોય ને બીજાના ટાળતા હોય તેની સાથે જીવ બાંધવો એ જ મોક્ષનો ઉપાય છે. પણ ઝાઝા રૂપિયા મળે કે ઝાઝી સ્ત્રીયું પરણે કે ભારે ભારે ઘરેણાં કે ગાડી-ઘોડે બેસે તે કાંઈ મોક્ષના ઉપયોગી નથી. તેમાંથી તો દુઃખ જોવા શીખવું. ગાડી ઊંધી પડે તો મૃત્યુ થાય, ઘોડેથી પડે તો હાથ-પગ ભાંગે ને રૂપિયા મળે તો ઉન્મત્ત થઈને કાંઈનું કાંઈ કરે. મોટા મોટામાં જીવ બાંધવો ને સમાગમ કરવો એ જ શત્રુ મોળા પડ્યાનો ઉપાય છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૨/૯૨

Vat Selection


Type: Keywords Exact phrase